________________ ડેન્ગશ્વસ ના 247 ચાલી ગઈ છે. અને તેને સ્વમાની સ્વભાવ જોતાં તે પાછી કદાચ નહિ આવે, ત્યાં સ્પેન કે ઇટાલીના કોઈ મઠમાં જોડાઈ જશે.' કાઉંટ મોન્ટેક્રિસ્ટોએ આશ્વાસન આપતાં જણાવ્યું કે, “જે કંગાળ લકને પુત્રીની જ એકમાત્ર મૂડી હેય, તેવાઓને ભલે એ દુઃખ અસહ્ય થઈ પડે; પરંતુ તમારા જેવા કરોડપતિઓને આવાં દુ:ખ બહુ અસહ્ય ન લાગે. કારણ કે, ડાહ્યા ફિલસૂફેએ કહ્યું છે કે, જીવનમાં ધન એ સૌ દુ:ખનું પરમ આશ્વાસન છે.' ડેશ્વસે જરા તીરછી નજરે જોઈ લીધું કે કાઉંટ મશ્કરી કરે છે કે સાચું કહે છે. પછી તેણે કહ્યું: “જો ધન એ આવાસનરૂપ ચીજ હોય, તો મને જરૂર આશ્વાસન મળી રહેશે. જુઓને, હમણાં તમે આવ્યા ત્યારે હું કેટલાક ચેક ઉપર સહી કરતો હતો.' આમ કહી, સહી કરેલા તે ચેકો તેણે જરા મલકાઈને કાઉંટ સામે ધર્યા અને કહ્યું: “તમે આવા કાગળ જીવનમાં કેટલા જોયા છે વારુ? એક એક કાગળ દશ લાખ ફ્રાંકન છે!” - કાઉન્ટે પાંચે ચેકો હાથમાં લીધા અને નિહાળી જોયા. પછી આંખો ફાડી જાણે આશ્ચર્યમુગ્ધ થઈને તે બોલ્યો, “વાહ! પાંચ ચબરખીઓની કિંમત 50 લાખ કૂક! આવું તે ભાઈ, તમારા ફ્રાંસમાં જ જોવા મળે!” મારો ધંધો એવો છે!' ડેગ્યુર્સે કુલાઈને જરા કહ્યું. કાઉન્ટ હવે એ પાંચે ચેક ગડી વાળીને ખીસામાં મૂક્યા અને કહ્યું, બીજા દેશમાં જાઉં ત્યારે એક અજાયબીની ચીજ તરીકે બતાવવા હું આ ચેકો મારી પાસે જ રાખું છું. જુઓને, તમારે ત્યાં મેં 60 લાખ ફાંકની શાખ ખોલાવી છે. તેમાંથી મેં અત્યાર સુધીમાં 9 લાખ ફૂક ઉપાડયા છે તમારે હજુ મને 51 લાખ ફાંક આપવાના બાકી છે. હું આ પાંચ કાગળિયાં લઈ જાઉં છું અને પૂરી 60 લાખની પહોંચ લખી આપું છું. મારા એક લાખ ફૂાંક બાકી રહેશે, પણ હું આ અજાયબી સંઘરવાની કિંમત તરીકે એ જતા કરું છું.”