________________ 43 વેલેન્ટાઈનનું મૃત્યુ વેલેન્ટાઇન હજ સાજી થઈ નહોતી. તેની પથારી પાસે આવીને મૅડમ વિલેફૉર્ટ તાજેતરમાં ગ્લર્સ વગેરેને ત્યાં બનેલી વાત સંભળાવી ગઈ; તોપણ તેના બીમાર મગજમાં એ વાતોની કરી ખાસ અસર ન થઈ. દિવસ દરમ્યાન તેના દાદા રાત થતા સુધી તેની ઓરડીમાં પથારી પાસે બેસી રહેતા. સાંજે આઠ વાગ્યે દાક્તર દ’ એવરીની આવતા અને વેલેન્ટાઇનની દવા લાવતા. પછી વેલેન્ટાઇન રાતના દશ-અગિયારે ઊંઘી જાય ત્યાં સુધી દાક્તરે પસંદ કરેલી નર્સ તેની પાસે રહેતી. મેકિસમિલિયન રોજ સવારે સા પાસે આવી વેલેન્ટાઇનના સમાચાર જાણી જતો. મોન્ટેક્રિસ્ટેએ તેને ખાતરી આપી હતી કે, બે કલાકમાં જ વેલેન્ટાઈન નહીં મરે, તે તે જરૂર આવી જશેઅને હવે તે ચાર દિવસ થઈ ગયા હતા. ઊંઘમાં પણ વેલેન્ટાઇનનું મગજ ઘૂમરાયેલું જ રહેવું. તેને પિતાના ઓરડામાં છાનામાના કેટલાય ઓળાઓ ફરતા દેખાતા; કોઈ વાર મૅકિસમિલિયન તો કોઈ વાર મૅડમ વિલે, તે કોઈ વાર જાણે કોઈ અજાણ્યું પણ કાઉન્ટ મોન્ટેક્રિસ્ટો જેવું! સવારના ત્રણ કે ચાર સુધી આવા બધા આભાસો તેને દેખાયા કરતા; ત્યાર પછી તે ગાઢ નિદ્રામાં પડી જતી. યુજેનીના ભાગવાના અને એન્ડિયાના પકડાવાના સમાચાર તેણે જે સવારે સાંભળ્યા, તે રાતે વેલેન્ટાઇનના ઓરડામાં નવાઈને બનાવ બન્યો. દશ મિનિટ પહેલાં જ નર્સ બધું ઢાંકી-ઢબૂડીને બહાર સૂવા ચાલી ગઈ હતી, અને વેલેન્ટાઈનને રાતના તાવનું ઘેન રોજની પેઠે