________________ 228 આશા અને ધીરજ દાકતરે કહેલી, ઝેરથી થતાં ખૂનની વાત કહી સંભળાવી. તથા તે જ રીતે કુલ ત્રણ મરણ થયા પછી એક વધુ મરણ થવાની તૈયારીમાં છે, તેની વાત કરી. કાઉંટે જરા હસીને કહ્યું કે, “તું વિલેફૉર્ટના ઘરની વાત કરે છે તે હું જાણું છું. સેન્ટમેરાન, તેમનાં પત્ની, અને બુઢ્ઢો બેરોઇસ એ ઝેરથી મરી ગયાં, એ પણ હું જાણું છું. પરંતુ એ ઘરની બાબતમાં તારે કશી ચિંતામાં પડવા જેવું નથી, કારણ કે, એ ઘર ઉપર મૃત્યુ નહિ, પણ ઈશ્વરને કારમો કોપ તે લોકોનાં કાળાં પાપની સજા આપવા ઊતર્યો છે. હવે કદાચ નેઇરટિયર ડોસાને કે વેલેન્ટાઇનનો વારો આવ્યો હશે.” પણ હું વેલેન્ટાઈનને ચાહું છું! હું તેના વગર મરી જઈશ!' મેકિસમિલિયન ચીસ પાડી ઊઠ્યો. “શું કહ્યું?' મોન્ટેક્રિસ્ટો એકદમ કૂદીને બોલી ઊઠયો. એ જ કે વેલેન્ટાઇનને હું પ્રાણપણે ચાહું છું, અને તમને તથા ઈશ્વરને પગે પડીને અરજ કરું છું કે તેને ગમે તેમ કરીને બચાવો!' મેન્ટ-ક્રિસ્ટો એક ઘવાયેલા સિંહની પેઠે હુંકાર કરી ઊડ્યો, “શું, એ શાપિત ઘરના સંતાનને હું પ્રેમ કરે છે?' મેકિસમિલિયને કાઉંટને ચહેરો આવો થયેલો કદી જોયો ન હતો. તે એકદમ બે ડગલાં પાછો ખસી ગયો. પણ તેના મોં ઉપરથી તેના અંતરની ગંભીર સ્થિતિ કળી જઈને કાઉંટે પોતાનું માથું નીચું નમાવ્યું અને આંખ બંધ કરી દીધી. તેના હૃદયમાં જે જવાળામુખી ઘૂઘવતો હતો, તેના દાહક ઉછાળાને તે દબાવવા પ્રયત્ન કરી રહ્યો હતો. થોડી વાર બાદ તેણે આંખો ઉઘાડી; પછી શાંત અવાજે તે બોલ્યો: “ખરેખર, ઈશ્વર માણસની નજર સમક્ષ જે ભયંકર દૃશ્ય રજૂ કરે છે, તે તરફ બેદરકાર રહેનારને ઈશ્વર સજા કરે છે જ. માણસે એકબીજા પ્રત્યે જે પાપ આચરી રહ્યા હતા, તે તરફ હું યમરાજના