________________ 204 આશા અને ધીરજ અલી પાશાની નોકરીમાં રહેલા એક ફ્રેન્ચ અમલદાર કર્નલ ફર્નાન્ડ મેન્ડે ગોએ સાત વર્ષ પહેલાં મને વેચ્યાં હતાં. મા તો કોસ્ટંટીનોપલ પહોંચતાં જ મરી ગઈ. એ ખરીદી પણ મેં જહાંપનાહ સુલતાન તરફથી ચાર લાખ ફાંકે કરી હતી.' પેલા વેપારીની સહીની બાજુમાં જહાંપનાહ સુલતાનનું સીલ હતું. રૉરમૅને તરત હૈદીને પૂછયું : “આ બાબત અંગે કાઉન્ટ ઑફ મોન્ટેક્રિસ્ટોને અમે પૂછપરછ કરી શકીએ ? ‘તેઓ તો ત્રણ દિવસ અગાઉ નૉર્મની ચાલ્યા ગયા છે.” તો પછી આ પગલું ભરવાની સલાહ તમને કોણે આપી? નાનપણથી જ મારા પિતાનું વેર લેવાની વૃત્તિ મારામાં પ્રદીપ્ત થઈ હતી. જ્યારે હું ફ્રાન્સ આવી અને મને ખબર મળી કે એ દગાબાજ પૅરિસમાં છે, ત્યારથી જ હું તેને વિષે માહિતી મેળવ્યા કરતી હતી. મારા માલિક કાઉન્ટ ઑફ મોન્ટેક્રિસ્ટો મને બહુ સંભાળથી રાખે છે અને મારી કેળવણી તથા તાલીમ બાબત બહુ ચિંતા કરે છે. તેઓને ત્યાં જાતજાતનાં સમાચાર પત્રો આવે છે, અને તે બધાં હું વાંચું છું અને દુનિયા વિશેનું મારું જ્ઞાન વધારું છું. એ રીતે મને આજે સવારે ઍમ્બરમાં જે થયું અને અત્યારે સાંજે જે થવાનું હતું તેની ખબર પડી, એટલે મેં આપને ચિઠ્ઠી લખી.' “કાઉંટ ઑફ મોન્ટેક્રિસ્ટોને તમારા આ પગલા વિષે કશી જ માહિતી નથી ?' ના જી; બલકે મને ચિંતા એટલી જ છે કે, એ જ્યારે આ વાત જાણશે, ત્યારે મારા પગલાને નાપસંદ તે નહિ કરે ! છતાં, આજનો દિવસ હું મારો સોનાનો દિવસ ગણું છું. કારણ કે, આજે મને મારા પિતાનું વિશ્વાસઘાતથી મોત નિપજાવનાર અને મારી વહાલી માતાના મોતનું કારણ બનનાર આ દુષ્ટ માણસ ઉપર વેર લેવાની તક મળી છે. હું ખ્રિસ્તી છું, છતાં આપ મને મારી આ વેરવૃત્તિ માટે ક્ષમા કરશો; પરમ કૃપાળુ પ્રભુ પણ મને ક્ષમા કરે !'