________________ 22 આશા અને ધીરજ શકું. એ વીંટી જ મારો સાચો પુરાવો છે. તે આ રહી! પરંતુ, કમનસીબે જે વાટાઘાટો કરવા અલી પાશાએ મને મોકલ્યો હતો, તે સફળ ન થઈ, અને હું પાછો આવ્યો ત્યારે તે તે માર્યો ગયો હતો. છતાં તેને મારા ઉપર એટલો બધો વિશ્વાસ હતો કે, મરતાં મરતાં પણ તેણે પિતાની માનીતી બેગમ તથા તેનાથી તેને થયેલ પુત્રીની સેપણ મને જ કરી હતી.' મૉર્કના આ નિવેદન દરમ્યાન કમિટીના પ્રમુખને એક ચિઠ્ઠી પહોંચાડવામાં આવી. તે વાંચતાં જ પ્રમુખ ચમક્યો. તેણે તરત મોર્સટ્ટને પૂછયું : “કાઉન્ટ, તમે હમણાં જ કહ્યું કે, અલી પાશાએ તેની પત્ની તથા પુત્રીની સોંપણ તમને કરી હતી, નહિ વારુ ?' “હા જી; પરંતુ હું પાછો ફર્યો ત્યારે તે બંને ગુમ થઈ ગયાં હતાં.” તમે તેમને જાતે ઓળખતા હતા?” હા જી, બરાબર.” તેમનું શું થયું તે બાબત તમને કશો ખ્યાલ છે?' “હા જી; મને કહેવામાં આવ્યું હતું કે, તે બંને શોક અને કદાચ ગરીબાઈમાં ખતમ થઈ ગયાં છે. તે વખતે મારી પોતાની સ્થિતિ સારી ન હતી, અને મારું જીવન પણ હરપળે જોખમમાં હતું, તેથી હું તેમની તપાસ કરી શકયો ન હતે.’ ચૅરમેને આ સાંભળી જરા ભવાં ચડાવ્યાં. પછી તેણે કમિટીના સભ્યોને સંબોધીને કહ્યું, “સદગૃહસ્થો, મને હમણાં જ એક ચિઠ્ઠી પહોંચાડવામાં આવી છે. તે ચિઠ્ઠી વખનાર જણાવે છે કે, તે પોતે આ તપાસ અંગે જાતમાહિતીથી ઘણી અગત્યની ખબરો આપી શકે તેમ છે. અલી પાશાના મૃત્યુ વખતે તે સાક્ષી હાજર હતા, તથા તેનાં બેગમ તથા દીકરીનું શું થયું તે પણ તે જાણે છે. આપ સૌ તે સાક્ષીને સાંભળવા માગતા હો, તે તે અહીં હાજર છે.'