________________
૧૬૦
આશા અને ધીરજ ઊંડે સુધી તથા આજુબાજુ ખદખદ કરવા છતાં મને એ પેટી ત્યાં ન જ મળી.’
“ત્યાં ન મળી? તે પછી જરૂર પેલો તેને ખોદી ગયો હશે.”
મેં પણ એમ જ માન્યું. તેણે ધાર્યું હશે કે તેમાં કંઈક ખજાનો છે એટલે તેણે તેને ખોદી તે કાઢી હશે. પરંતુ પછી પોતાની ભૂલ માલૂમ પડતાં તેણે આસપાસ ક્યાંક ખાડો ખોદી તેને પાછી દાટી દીધી હશે. એટલે મેં ચોતરફ ખેદાદ કરી મૂકી; પરંતુ મને ક્યાંય કશું જ ન મળ્યું. મને પ્રશ્ન થયો કે, એ માણસ એ મડદું પિતાની સાથે શા માટે લઈ જાય?”
કેમ, આપણા ભેદના પુરાવા તરીકે વળી !'
ના, ના, એ મડદું તે આખું વરસ પિતાની પાસે રાખી મૂકી ન શકે. તરત જ કોઈ મૅજિસ્ટ્રેટને બતાવીને તેણે ગુનો તો દાખલ કરાવી દેવો જ જોઈએ. પરંતુ એણે એમ કયાંય કર્યું ન હતું એ તો નક્કી; તે પછી એક જ ભયંકર શક્યતા બાકી રહી : એ બાળક પેટીમાં જીવતું હોય અને પેલા કોર્સિકને તેને બચાવી લીધું હોય !'
મૅડમ ડેન્ટલર્સે તરત જ ચીસ પાડીને વિલેફૉર્ટના હાથ પકડયા : જરૂર, મારું બાળક જીવતું જ હતું! તમે મારા બાળકને જાણી જોઈને જીવતું દાટી દીધું હતું. મેં તમને મારું બાળક બતાવવા તે વખતે કેટલી બધી આજીજી કરી હતી! પણ તમે તો બારોબાર જ તેને લઈ ગયા હતા!”
વિલેફૉર્ટે હવે વિચાર્યું કે, મેડમના માતૃત્વના ઉછાળાને ભય વડે ડામીને કંઈક શાંત પાડવો જોઈએ; એટલે તેણે તેને કહ્યું, “પણ તે બાળક જો જીવતું હોય અને કોઈ તે ભેદ જાણતું હોય, તો આપણા બંનેનું શું થાય? હવે કાઉન્ટ મોન્ટેક્રિસ્ટો જે જગ્યાએથી એ હાડપિંજર મળ્યાની વાત કરે છે, તે જગાએ એ હાડપિંજર હતું જ નહિ; તો પછી જરૂર તે કંઈક ઇરાદાથી જ એમ કરતો હોવો જોઈએ. પણ તેની જાણમાં આ વાત શી રીતે આવી હોય, એ પ્રથમ તપાસવું જોઈએ.