________________
મુલાકાતે: ગમતી અને અણગમતી ૧૫૯ જો સાંભળ, કાઉંટ ઑફ મોન્ટેક્રિસ્ટોએ એ જ મકાન ભાડે રાખ્યું, ત્યાં એ જ ઓરડો બદલ્યા વિનાનો રાખ્યો; આપણને બધાને એ જ પાછલા દાદરે થઈને તે બગીચામાં લઈ ગયો; ત્યાં બગીચાનો એ જ ખૂણો આપણને બતાવ્યો, – એટલે સુધીની વાતને હું અકસ્માત જેવી માનવા તૈયાર પણ થાઉં. પરંતુ એણે જે બાળકની લાશ મળ્યાની વાત કરી, તે તદ્દન ખોટી છે; અને કંઈક હેતુથી ઉપજાવી કાઢી છે. એટલે જ આપણે ચેતવા જેવું છે.'
તમે શું કહેવા માગો છો ?'
એ બાળકની લાશ તેને મળી જ નથી, કારણ કે ત્યાં તે હતી જ નહિ.'
“એટલે?”
એટલે કે દાકતરે કહ્યા પ્રમાણે છ મહિના દક્ષિણ તરફ હવા ખાઈ આવીને હું પૅરિસ પાછો આવ્યો, ત્યારે મને ખબર પડી કે તું ડેંગ્લર્સ સાથે પરણી ગઈ છે અને ઓટીલવાળું ઘર તારા ગયા પછી ખાલી જ પડી રહ્યું છે. મારી અશક્તિના છ મહિના દરમ્યાન મને પડયા પડ્યા વારંવાર વિચાર આવતો હતો કે, પેલા કોર્સિકાવાસીએ મને ઘા કર્યો ત્યારે તેણે મને આપણા બાળકને દાટતો જોયો હતો. પછી તેણે તને પણ કદાચ ઓળખી લીધી હોય, તો તે એ ભેદ ખુલ્લો કરવાની ધમકી આપ્યા કરી તારી પાસે મોટી રકમ પડાવે કે નહિ? ઉપરાંત, મને તે જીવતે પાછો ઘેર આવેલ જુએ કે જાણે, તે એ ભેદ વડે તે મારા ઉપર બીજી વાર કારમું વેર લઈ શકે કે નહિ? એટલે મેં પેરિસ આવી એ પુરાવો જેમ બને તેમ જલદી ત્યાંથી કાઢી લેવાનો વિચાર કર્યો. તેથી સાંજ પડતાં જ હું આપણા ઑટીલવાળા મકાને ગુપચુપ પહોંચ્યો, અને અંધારું જામ્યા બાદ બાગમાં ગયો. મારું હૃદય અનેક પ્રકારના ઘેર ભયોથી ફાટફાટ થતું હતું; છતાં આપણા ગુમ પ્રેમજીવનના ભેદને દુરુપયોગ થાય તેવો પુરાવો નષ્ટ કરવાના એકમારા ખ્યાલથી મેં દૃઢતાથી ખોદકામ શરૂ કર્યું. મોડી રાત સુધી