________________
હૃદયા, ઝેરનાં ભરેલાં
૧૪૭
પિતા વિલેફૉર્ટ થાય, અને તેા જ એ બધી મિલકત અંતે પેતાના પુત્ર એડવર્ડને મળે ! મૉડમની પેાતાની તા કશી મિલકત હતી જ નહિ.
વિલેૉર્ટના વિચાર, અલબત્ત, વેલેન્ટાઇનને સારે ઠેકાણે પરણાવી ઠેકાણે પાડવાના હતા. અને તેણે ટ્રાન્ઝ દ' એપિને* નામના સારી સ્થિતિના જુવાનિયા વેલેન્ટાઇન માટે પસંદ કર્યો હતા. તેના પિતા જનરલ દ’ કિવસ્તેલ રાજા-પક્ષના હતા. તેણે નેપોલિયન-પક્ષી ક્રાંતિકારીઓની સાથે બહારથી મળી જવાના દેખાવ કરી, તેમને પકડાવી દેવાનું કાવતરું રચ્યું હતું. પરંતુ ૧૮૧૫ના ફેબ્રુઆરીની ૫મી તારીખે ક્રાંતિકારીઓની છૂપે મથકે મળેલી સભામાં હાજરી આપ્યા પછી પાછા ફરતાં, ક્રાંતિકારીઓના આગેવાને તેને પકડી પાડીને પડકાર કરતાં, જનરલ કિવસ્તેલ તેના ઉપર તૂટી પડયો હતો, અને યુદ્ધમાં માર્યા ગયા હતા.
વિલેૉર્ટને ખબર હતી કે તે વખતે પોતાનો પિતા નેાઇરટિયર ક્રાંતિકારીઓના પક્ષમાં હતા. એક રીતે પિતાને દૂભવવા જ, અને રાજા-પક્ષ સાથે પોતાની સહાનુભૂતિ પ્રદર્શિત કરવા જ, તેણે વેલેન્ટાઇનને કિવસ્તેલના પુત્ર એપિને સાથે પરણાવવાના વિચાર રાખ્યા હતા.
નેઇરટિયરના જાણવામાં આ વાત આવતાં તેણે તે લગ્ન રોકવા પ્રયત્ન કર્યો. પણ વિલેૉર્ટે ન માન્યું, એટલે તેણે વીલ લખાવ્યું અને તેમાં જણાવ્યું કે, મારી કુલ મિલકત નવ લાખ ફ્રાંકની છે અને તેનું મેં એવી રીતે રોકાણ કર્યું છે કે તેનું વ્યાજ જ દર વર્ષે ૪૦,૦૦૦ ફ઼ાંક આવે છે. જો વેલેન્ટાઇનનું લગ્ન મારી મરજી વિરુદ્ધ ટ્રાન્ઝ દ' એપિને સાથે કરવામાં આવે, તો તેને હું મારા વારસાના હકમાંથી રદબાતલ ઠરાવું છું; અને મારી મિલકત ગરીબાને ધર્માદા આપી દઉં છું.
પણ વલેફાંટે તે। તેમ છતાં ટ્રાન્ઝ દ' એપિને સાથે વેલેન્ટાઇનનું લગ્ન કરવાનું કાયમ જ રાખ્યું.
*રામના કાર્નિવલ-ઉત્સવ દરમ્યાન આલ્બટ માફના સાથીદાર તરીકે તેણે જ લૂંટારુ વાન્ગાના હાથમાંથી તેને છેાડાવવા માટે કાઉંટ મેાન્ટે ક્રિસ્ટોની મદદ માગી હતી, એ આપણે અગાઉ (પા. ૧૨૮) જોઈ આવ્યા છીએ.