________________
૨૫
બટુંકિયાની કબૂલાત બટુંકિયો પાંચ વર્ષની ઉંમરનો હતો ત્યારથી જ, માતાપિતા મરી જતાં, તેના ૧૮ વર્ષના મોટા ભાઈએ તેને ઉછેર્યો હતો. નેપોલિયન જ્યારે એલ્બાથી ૧૮૧૫માં ફ્રાંસ પાછો ફર્યો, ત્યારે તેનો મોટો ભાઈ લશ્કરમાં ભરતી થઈ ગયો. વૉટલૅના યુદ્ધની આગલી રાતે લડાઈમાં ઘાયલ થતાં, તેને મોરચા ઉપરથી ખસેડી લેવામાં આવ્યો. પછી તે નેપોલિયન હારીને દેશનિકાલ થયો તથા રાજા લૂઈ ફરી ક્રાંસની ગાદીએ આવ્યો, એટલે નેપોલિયનના લશ્કરની ટુકડીઓને વિખેરી નાખવામાં આવી.
બર્ટુકિયોને એક દવસ તેના ભાઈને કાગળ મળ્યો કે, તે હવે પિતાને ગામ પાછો ફરવા માગે છે, પણ હજુ પોતે અશકત હોવાથી મુસાફરીના ખર્ચ માટે તેને થોડા પૈસાની જરૂર છે.
બર્ટુકિયો બધું વેચીસાટી પિતાની ભાભી માટે પાંચસે કૂક રાખી, બીજા પાંચસો ફ્રાંક પોતાની સાથે લઈ, ભાઈને તેડી લાવવા નીકળ્યો.
દરમ્યાન દક્ષિણ તરફ નેપોલિયનના પક્ષકારોની કતલ શરૂ થઈ હતી. રાજસત્તાની આંખમીંચામણી હેઠળ જ બે કે ત્રણ ગુંડાટેળીઓએ એ કામ હોંશભેર હાથમાં લીધું હતું. બટુકિયોના ભાઈની પણ એક ગામમાં આગલી રાતે જ કતલ થઈ ગઈ.
બટુંકિયોએ ત્યાં આવીને પોતાના ભાઈના ખૂનીઓને પત્તો મેળવવા ભારે પ્રયત્ન કર્યો, પરંતુ ધાકના માર્યા, કોઈ તેમનું નામ કહેવા પણ તૈયાર ન હતું. છેવટે તેણે દરોગા પાસે જઈ ફરિયાદ દાખલ કરી.
૧૧૭