________________
પાંચમી સપ્ટેબર
૧૦૧
એ અંગ્રેજ ગૃહસ્થે પણ તેના જવાબમાં તેને જ દેખાય એવું આશ્વાસન અને મમતાભર્યું હાસ્ય કર્યું; જેનો અર્થ કદાચ એવા થાય કે, ‘બાનુ એમની ઇજજત અને જિંદગી એ મારે માટે પણ એટલી જ મમતાની અમૂલ્ય વસ્તુઓ છે. '
બધાં વિદાય થતાં શ્રી. મૉરેલે પેલા અંગ્રેજ તરફ ફરીને કહ્યું, ‘તમે બધું જાતે સાંભળ્યું છે; હવે મારે તમને વિશેષ કાંઈ કહેવાનું રહેતું નથી. '
6
હું જોઉં છું કે એક વધુ કમનસીબ આપને અત્યારે નડયું છે; પરંતુ સાહેબ, એ સાંભળીને તા આપને કાંઈ મદદરૂપ થવાની મારી ઇચ્છા વધુ તીવ્ર બની છે. ’
* હું ? એટલે?’
'
જુઓ સાહેબ; આપના સૌથી મોટો લેણદાર હું જ છું. આપને હું વધુ મુદત આપું તે ? ’
તા તો કદાચ મારી ઇજજત, અને પરિણામે મારું જીવન પણ બચી જાય !'
‘આપને કેટલી મુદત જેઈએ ?’
શ્રી. મૉરેલે વિચાર કરીને કહ્યું, ‘બે મહિના.’ 'હું ત્રણ મહિના આપું છું.
"
`તુ તમારી કંપની એ વાત કબૂલ રાખશે ?’
‘ એ બધું મારે માથે. જુઓ, આજે જૂન મહિનાની ૫ મી તારીખ થઈ છે અને અગિયાર વાગ્યા છે. હું પાંચમી સપ્ટેંબર સુધીની મુદત વધારી આપું છું. પાંચમી સપ્ટેંબરે બરાબર બારના અગિયાર વાગ્યે હું આવીશ અને પૈસા લઈ જઈશ.'
‘હું પણ બરાબર તે જ સમયે તમારી રાહ જોઈશ અને પૈસા તૈયાર રાખીશ. સિવાય કે, હું જીવતા ન હોઉં.’
શ્રી. મૉરેલે અંત:કરણપૂર્વક અંગ્રેજ મુનીમના આભાર માન્યો અને તેને દાદર સુધી જઈને વિદાય આપી.