________________
કૅડરા ભૂતકાળ ઉખેળે છે
૧
ડેન્જર્સની વાત જ લે; શ્રી. મૉરેલની ભલામણથી સ્પેનની
એક બૅંકમાં તે કેશિયર તરીકે જોડાયા હતા. ત્યાર પછી સ્પેન સાથે ફ્રાંસને લડાઈ થઈ, ત્યારે ફ્રેંચ લશ્કરના ભંડારી તરાકે લાખા ફ઼ાંક તેણે બનાવ્યા. ત્યાર બાદ સટ્ટામાં તે ડ્રાંકને તેણે ત્રણગણા અને ચારગણા બનાવી દીધા. પછી તે પેાતાના બૅંકરની દીકરીને જ પરણ્યા; અને તે મરી ગઈ એટલે રાજાના હજૂર-મંત્રીની પુત્રીને પરણ્યો છે. અત્યારે તે તે
બૅરન બન્યા છે અને પૅરિસમાં માટા મહેલમાં રહે છે. તેના તબેલામાં દશ ઘોડા છે અને તેના દીવાનખાનામાં છ હજૂરિયા તહેનાત ભરે છે.’ ‘ અને ફર્નાન્ડનું શું છે?’
‘એની વાત કંઈક ભેદવાળી છે. નેપોલિયન પાછા ફર્યા ત્યારે લશ્કરમાં તેને ફરજિયાત ભરતી થવું પડયું હતું. હું પણ ભરતી થયા હતા, પણ હું તેના કરતાં ઉંમરે મેટો એટલે મને કિનારા ઉપર મેકલવામાં આવ્યા હતા, ત્યારે ફર્નાન્ડને સીધા મેારચા ઉપર. વૉટલૂના યુદ્ધની આગલી રાતે તે એક સેનાપતિના તંબૂને દરવાજે પહેરા ઉપર હતા. એ સેનાપતિ દુશ્મન સાથે છૂપો પત્રવ્યવહાર ચલાવી રહ્યો હતા. તે જ રાતે સેનાપતિ અંગ્રેજોના પક્ષમાં ચાલ્યા ગયા અને તેની સાથે ફર્નાન્ડ પણ. નેપોલિયન ગાદીએ કાયમ રહ્યા હોત, તો તે બંને દગાબાજોને મોતની સજા થાત; પરંતુ રાજા લૂઈ પાછા ગાદીએ આવ્યો એટલે તે બંને રાજભક્તો ગણાયા અને સારે હાદ્ફ્રેંચ લશ્કરમાં પાછા આવ્યા. પછી સ્પેન સાથેના યુદ્ધમાં ફર્નાન્ડને નાયક બનાવવામાં આવ્યો. તે પોતે મૂળે સ્પેનના વતની; એટલે તેણે તથા ડૅન્ગ્લસે મળી સ્પેનની રાજધાનીમાં રહેલા રાજભક્તો સાથે કાવતરું રચી દગાબાજીથી ફ્રેંચ લશ્કરને વિજય અપાવ્યો. પરિણામે ફર્નાન્ડને કાઉંટનું પદ અને કર્નલના હોદ્દો બક્ષવામાં આવ્યાં. પછી ગ્રીસે જ્યારે સ્વતંત્ર થવા તુર્કીની સામે યુદ્ધ આદર્યું, ત્યારે કાઉંટ મૉર્સર્ફ (ફર્નાન્ડનું હવેનું નામ) અલી પાશાની નેકરીમાં લશ્કરના તાલીમબાજ તરીકે જોડાયો. અલી પાશા તે માર્યા ગયા, પણ મરતા પહેલાં તેણે ફર્નાન્ડની સેવા બદલ
*