________________
આદમ ફૅરબ્રધર
તે જ ઘડીએ નૌકાસૈન્યના પેલા ચાર માણસો એ તરફ ઉતાવળે આવતા હતા તેમનાં પગલાં સંભળાયાં. અંદર આવી તેમણે જણાવ્યું કે અમે જે ભાગેડુને શોધીએ છીએ, તે બૅલ્વર તરફ આવ્યો હતો અને લેંગ્યુ-મથક તરફ વળ્યો હતો, એટલા સગડ અમને મળ્યા છે. તે અહીં આવ્યો હતો કે કેમ, એમ તેઓએ પૂછયું.
છોકરાઓએ ઝટપટ પેલાઓએ પૂછેલો સવાલ પોતાના બાપને પૂછયો. કારણકે, ઘરમાં તે એકલો જ હાજર હતો; પોતે બધા તો હમણાં જે ૨સેથી પાછા આવ્યા હતા. આદમે બગાસાં ખાતાં ખાતાં જાણે પિતાને કશી નિસબત ન હોય તેમ પૂછ્યું, “એણે શું કર્યું હતું?”
“નામદાર, તે જહાજ છોડીને ભાગ્યો છે.” નૌકાસૈન્યના માણસેએ જવાબ આપ્યો.
“બીજું કાંઈ, – કંઈ ગુને-બુને તો તેણે નથી કર્યો?”
બીજું કાંઈ કર્યું નથી, નામદાર. પણ તે આ તરફ આવ્યો હતો? તમારી નજરે પડ્યો હતો?”
“ના.” ગવર્નરે જવાબ આપ્યો અને તરત પાછા ઊંઘમાં પડી ગયા હોય તેમ તેમણે આંખો મીંચી દીધી.
પેલા ખલાસીઓ, રાતે તબેલામાં સૂઈ રહી, બીજે દિવસે સવારે આસપાસ તપાસ ચાલુ રાખવાનું વિચારવા લાગ્યા; કારણકે, એ માણસ આ તરફ આવ્યો હોઈ, જરૂર આસપાસ કયાંક છુપાયો હોવો જોઈએ. એ વાત સાંભળી તરત ગવર્નર ઊંઘમાંથી જાગી ઊઠ્યા અને બોલ્યા, “તબેલામાં સૂવા માટે બીજી કશી સગવડ કરી શકાય તેમ નથી; તેના કરતાં તમે રસોડામાં પાટલીઓ ઉપર જ સુઈ જાઓ.’
પેલાઓ ગવર્નરને આભાર માની પાટલીઓ ઉપર આડા પડી સૂઈ ગયા.