________________
આત્મ-બલિદાન તરત ચારે માણસો “પ્લાઉ' વીશી તરફ દોડયા. .
વીશી ચલાવનારી ભલી બાઈએ તેઓને બધી માહિતી આપતાં જણાવ્યું, “ખરે જ, એવો માણસ અહીં આવ્યો હતો; પણ ન તેની એકે વાત આપણને સમજાય કે ન આપણી એકે વાત તે સમજે. મેં તેને બટકું રોટલો અને થોડુંઘણું પીવાનું આપ્યું હતું, ખરું.”
“ તો હવે તે અંદર નથી?” વાહ ભાઈ, તમારી મેળાએ જ જોઈ લ્યો, બસ!'
ચારે જણા વીશીમાં બધે ફરી વળ્યા, છેવટે ખાલી હાથે તેઓ ચાલતા થયા.
જ્યારે તેઓ ચાલ્યા ગયા, ત્યારે વીશીવાળી બારણા બહાર નીકળી તરફ જોવા લાગી. તરત જ પેલો જંગી માણસ તેની પાછળ પાછળ બહાર આવ્યો.
વીશીવાળીએ આંગળી એક તરફની અંધાર-ગલી તરફ ચીંધી. પેલે ટોપો ઉતારી, નમન કરી, ગુપચુપ ચાલતો થયો.
અંધાર-ગણી પૂરી થતાં તે બંધૂરની તળેટીમાં આવી પહોંચ્યો. આગળ ન ગ્રામપ્રદેશ પથરાયેલો હતો. રસ્તા ઉપરનાં બે-ત્રણ નાનાં ઘર વટાવીને તે આગળ ચાલ્યો; પણ તેમાં દીવો બળતો ન હતો. એક વીશી પણ આવી, પરંતુ તેનું બારણું બંધ હતું અને ઠોકવા છતાં કોઈએ ઉઘાડ્યું નહિ. છેવટે તે એક આડ-રસ્તો ફંટાતો હતો ત્યાં આવ્યો ત્યારે દૂરથી તેને ઝાડીમાં થઈને આવતા દીવાના પ્રકાશ દેખાયો. તે “લેંગ્ય’ મથકે આવી પહોંચ્યો હતો.
જે પ્રકાશ તેણે જોયો હતો તે એક જ બારીમાંથી આવતો હતો; અને તે સીધો એ તરફ ચાલ્યો ગયો. અંદર એક માણસ ચૂલા પાસે બેઠો હતો. આગના પ્રકાશમાં તેનું મોં બહુ ભલમનસાઈભર્યું અને માયાળુ લાગતું હતું. તે આદમ ફ્રબ્રધર હતો.