________________
૧૫૩
શાત્મવિદ્વાન
“હા, હારતો, વળી. ’’
“ પછી તો તે પરણીને ઘરબારી થવાનો પણ વિચાર કરશે, ખરું ને ?”
“ એ વાતનું તો કહેવાય નહિ, મૅડમ; કારણ' કે, છેકો હજુ નાના બાળક જેવા અણજાણ છે; તેને સ્રીનો ડંખ હજુ લાગ્યો નથી.''
પણ મિસિસ ફૅરબ્રધર એ બાબતમાં જુદા જ અભિપ્રાયનાં હતાં. જૅસન હવે ભાગ્યે ૉગ્સ આવો; છતાં તેના મનમાં ગ્રીબા પ્રત્યે જે ભાવ હતો તે એ બરાબર પામી ગયાં હતાં.
અઠ
ગ્રીબા માને ત્યાં રહેવા આવ્યા બાદનાં શરૂઆતનાં વાડિયાંમાં એક વખત ફરીથી જૅસનને ભેગી થઈ હતી ત્યારે તે પણ જૅસનના મનની વાત બરાબર પામી ગઈ હતી. એટલે તેણે તરત જ માઇકેલ સન-લૉક્સને એક કાગળ લખી દીધા. પાતાના બાપ ત્યાં આઇસલૅન્ડ – આવવા નીકળ્યા છે; એ ત્યાં સુખરૂપ આવી પહોંચ્યા છે કે નહિ, એ ખબર પૂછવાનું તેણે બહાનું કાઢયું હતું — પણ માઇકેલ પોતે ત્યાં કેવી સ્થિતિમાં છે, અહીં મૅન-ટાપુમાં પાછા આવવા માગે છે કે, પછી આઇસલૅન્ડમાં જ ઘર કરીને રહેવા માગે છે, વગે૨ે ખબરો જ તેને જાણવી હતી. પોતાની અહીંની સ્થિતિ વિષે, અલબત્ત, તેણે કરાય' તેટલા છૂપા અણસારા એ પત્રમાં કર્યા હતા; પણ જૅસન વિષે એક અક્ષરેય તેણે લખ્યો ન હતો. કારણ કે, એ બાબતમાં તેને હવે બેવડો ભય લાગતો હતો — જૅસન તેના – ગ્રીબાના – પ્રેમમાં પડયો હતો એ નિર્વિવાદ હતું; પાતાની મા પણ એ લગ્ન થાય એ માટે ઉત્સુક હતી. પણ ગ્રીબા એ પણ જાણતી હતી કે, જૅસન પેાતાની ઓરમાન મા અને તેના સંતાન ઉપર પેાતાની માનું વેર લેવાના ઇરાદાથી જ તેમને શેાધવા અહીં આવ્યા હતો — અલબત્ત, રમાન મા મરી ગઈ હતી અને માઇકેલ સન-લૉક્સને તે એળખતો ન હતો, એ જુદી વાત.
–