________________
१४
પિતાની બધી લાગણીઓ તથા કામનાઓ ભૂલીને અથવા જતી કરીને, બીજના સુખ માટે- બીજાના હિત માટે આત્મ-બલિદાન આપવું, એ વસ્તુ પોતે જ આપોઆપ એટલી મોટી મહત્તા ધરાવે છે કે, એ બલિદાન આપનારની કક્ષા કઈ છે કે કઈ બાબત માટે એ બલિદાન અપાયું છે તેની ગણના કે હિસાબ કરવાનો હોતો જ નથી. પોતાનું કહી શકાય તેવું થોડું હોય કે વધારે, વધુ કીમતી હોય કે ઓછું કીમતી હોય પણ તેને ત્યાગવું અર્થાત્ બીજને ખાતર જતું કરવું - હોમી દેવું એ સરખું જ મુશ્કેલ કે અઘરું હોય છે. ઊલટું પોતાનું કહી શકાય તેવું થોડું હોય તે તે કારણે જ તેને જતું કરવું વધુ અઘરુ કે મુશ્કેલ બની જાય છે.
- નવલકથાઓમાં મુખ્યત્વે કે સામાન્ય રીતે સ્ત્રી-પુરુષના પ્રેમની વસ્તુને ખૂબ બહલાવવામાં આવી હોય છે; ગીતમાં પણ એ વસ્તુ જ ખૂબ આવે છે. પરંતુ એ વસ્તુને બહલાવ્યા કરવી હોય તે પણ તેને ખૂબ જ મર્યાદા છે. જેમકે, એ પ્રેમ ઊભો થવાનાં નિમિત્ત બે કે ત્રણ છે: ગુંડાઓના કે જાલીમના હાથમાંથી સ્ત્રીને બચાવવી, અણીને વખતે તેને મદદ કરવી, અથવા સ્વયંવરની શરતો પૂરી કરીને જીતી જવી. શારીરિક બાહ્ય સ્વરૂપથી અજઈ જઈને પણ પ્રેમ થાય; પરંતુ બંને પક્ષે તે એક સાથે કે એક જ કારણે થતો વિરલ હોય છે. પ્રેમ થયા પછી મિલન થતા પહેલાં પણ વચ્ચે માબાપ તરફની, સમાજ તરફની કે હરીફ તરીકની અડચણે પણ એકસરખી જ ઓળંગવાની હોય છે. પરંતુ હૃદયપલટો થવો કે આત્મ-બલિદાન આપવું એ બાબતને
૧. કોઈ સ્ત્રી અને પુરુષ વચ્ચે પ્રેમ ઊભું થવાને કવિઓએ માંતર: જોડr દેત: કહીને કોઈ અજા એ આંતરિક હેતુ પણ ગણાવ્યો છે. પરંતુ તે હેતુને શબ્દોમાં નિરૂપો અશક્ય છે. કારણ કે તે માટે પુનર્જન્મ, પૂર્વજન્મનાં કર્મો, તથા પૂર્વજન્મનાં કર્મોનું ફળ આપનાર ઈશ્વર વગેરે અગમ્ય કે અનિરૂપ્ય બાબતો પણ સાથે સાથે જ માની લેવી પડે.