SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ ઉપદેશરહસ્ય ગાથા–૨૩ यितवीयोल्लासेन शीघ्रमपवर्तनेऽपि बहूनां यथोक्तान्तरोपपत्तेः, देवादिभवे च यावर्ती स्थिति क्षपयति तावत्या एव भवस्वाभाव्यादधिकाया अर्जनेन बह्वन्तरभावात् । तदिदमाह-[१-पंचाशके] ४°सुस्सूस धम्मराओ गुरुदेवाणं जहासमाहीए । वेयावच्चे णियमो वयपडिवत्ती य भयणाओ ॥४ त्ति ॥२३॥ તથા સમ્યગ્દષ્ટિ જીવને શુભ અનુષ્ઠાન રૂપ ધર્મનાં પાલનમાં પૂર્ણ અનુરાગ હોય છે, અર્થાત્ સમય વગેરે સામગ્રીના અભાવમાં ધર્મપાલન ન થઈ શકે તે પણ તે કરવાની માનસિક ઇચ્છા સાનુબંધ હોય છે. બ્રાહ્મણ હોય, દરિદ્ર હોય, જંગલ ઉતરીને આવ્યો હોય એટલે ઘણે થાકી ગયા હોય એવા પુરુષને ઘીથી ભરપૂર જોજન કરવાની જેવી ઈચ્છા હોય તેને કરતાં પણ વધુ તીવ્ર ઈચ્છા સમ્યગદષ્ટિને ધર્મ પાલનની હોય તથા શક્તિ પ્રમાણે એટલે કે મન, વચન અને કાચ ના ચગાને અસમાધિ ન થાય તે રીતે ગુરુ-ધર્માચાર્યો અને પરમઆરાધ્ય દેવની ભક્તિ-વૈયાવચ્ચ વગેરે કર્તવ્યનું પાલન અવશ્ય કરે છે. અવશ્ય કરે એટલે કે “પ્રસ્તુત ગુરુની ભક્તિ કે દેવની ભક્તિ મારે અવશ્ય કરવી જોઈએ? આ પ્રકારની ભાવના નિરંતર હોય. દા. ત. જે મનુષ્યોને ચિંતામણિ રત્નના પ્રભાવમાં પૂર્ણ શ્રદ્ધા છે તે મનુષ્ય ચિંતામણિની ઉપાસના કરવામાં જેવી દઢ ભાવના સેવે છે તેનાથી પણ વધુ દઢ ભાવના સમ્યગદષ્ટિ જીવને દેવ-ગુરુની ભક્તિમાં હોય છે. ઉપરોક્ત શુશ્રુષા વગેરેને સમ્યગદર્શનનાં લિંગ કહ્યાં છે, કિંતુ વ્રતને સ્વીકારને સમ્યગ દર્શનનું લિંગ કહ્યું નથી, કારણ કે તેમાં ભજના (વિક૯૫) છે, અર્થાત્ સમ્યગદર્શન પ્રાપ્તિ પછી કઈક જીવ ભાવથી વ્રતને સ્વીકાર કરે પણ ખરે અને ન પણ કરે. ‘ક જીવ કરે અને કો જીવ ન કરે ?” તે વ્યવસ્થા આ પ્રમાણે છે [દેશવિરતિ લાભની શક્યતા] સમ્યક્ત્વ પ્રાપ્ત થયા બાદ તે સતત જળવાઈ રહે ત્યારે, સમ્યગદર્શન પ્રાપ્તિ માટે જેમ અંતઃકટાકેટિ સાગરોપમથી અધિક સમગ્ર કર્મ સ્થિતિને હાસ કારણભૂત છે તેમ, ભાવથી દેશવિરતિની પ્રાપ્તિમાં અંતઃકેટકેટી કર્મ સ્થિતિમાં પણ બેથી નવ પલ્યોપમ સ્થિતિને હાસ કારણભૂત છે. તે હાસ થવાની શક્યતા બે પ્રકારે છે-કેઈક જીવ સાતિશય વિલાસથી ૨ થી ૯ પલ્યોપમ સ્થિતિની અપવર્તન ( હાસ) સર્વર કરે તે તાત્કાલિક ભાવગર્ભિત દેશવિરતિની પ્રાપ્તિ તેને થાય છે, પરંતુ આવું બહુ ઓછાને બને, મોટા ભાગના જીવને તે ૨ થી ૯ પલ્યોપમને કાલ પસાર થાય ત્યારે તેટલી કર્મસ્થિતિને હાસ થાય છે અને ભાવથી દેશવિરતિ પામે છે. શંકા :-સમ્યકૃત્વ યુક્ત જીવ નવ પલ્યોપમથી વધુ આયુષ્યવાળા દેવ ભવમાં ઉત્પન્ન થાય તે તેને બેથી નવ પલ્યોપમની સ્થિતિને હાસ સહજ રીતે થઈ જવાથી શું દેશવિરતિ પ્રાપ્ત થશે? દેવ ભવમાં તે દેશવિરતિ હોય જ નહિ. તે પછી દેશવિરતિની પ્રાપ્તિમાં બતાવેલ કાલપ્રમાણુ શી રીતે ઘટશે? રામાધાન દેવ ભવમાં દેશ વિરતિની પ્રાપ્તિ હોય જ નહિ, તે પણું, ત્યાં બે થી નવ પપમ કર્મસ્થિતિને હંસ થવાથી દેશવિરતિને ઉદય થવાની આપત્તિ નથી. કારણકે, ४० शुश्रषा धर्मरागो गुरुदेवानां यथासमाधि । वैयावृत्त्येनियमो व्रतप्रतिपत्तिश्च भजनात इति ।।
SR No.006002
Book TitleUpdesh Rahasya
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Jain Sangh
Publication Year1983
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy