SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશરહસ્ય ગાથા-૧૭ [દ્રવ્ય શબ્દને દ્વિતીય અર્થ ભાવસાધકતા]. દ્રવ્ય શબ્દને બીજો અર્થ “ફળને ઉત્પન્ન કરવાની યેગ્યતા” છે, જેને ન્યાયમતમાં સ્વરૂપગ્યતા કહેવામાં આવે છે. સ્વરૂપગ્યતા એટલે કે વાતાવ છેવધર્મવાવ, દા. ત. માટીને પિંડ ઘટરૂપ કાર્યને ઉપન્ન કરવાની યોગ્યતા ધરાવે છે એટલે કે ઘટમાં રહેલી કાર્યતાની સાપેક્ષ માટીપિંડમાં રહેલી કારણુતાને અવચ્છેદક એટલે કે નિયંત્રક મૃપિંડ ધર્મ છે. કારણુતા અવચ્છેદક ધર્મ મૃપિંડત્વ છે અને તદ્દવાન મૃપિંડ છે માટે મૃપિંડને ઘટ પ્રતિ સ્વરૂપાગ્ય કહેવાય. જન પરિભાષામાં દ્રવ્ય શબ્દ પ્રયોગ આ અર્થમાં થતા હેવાથી મૃપિંડને દ્રવ્યઘટ કહેવાય છે. તે જ રીતે સાધુના ગુણોને સ્વીકારવાની યેગ્યતા ધરાવનાર ગૃહસ્થ સુશ્રાવકને દ્રવ્યસાધુ કહેવામાં આવે છે, અને દેવપણે ઉત્પન્ન થવાની ગ્યતા ધરાવનાર સાધુને દ્રવ્યદેવ કહેવામાં આવે છે. પંચાશક નામના શાસ્ત્રમાં કહ્યું છે કે માટીને પિડ એ દ્રવ્ય ઘટે છે, સુશ્રાવક એ દ્રવ્ય સાધુ છે અને સાધુ તે વ્યદેવ છે, એ પ્રમાણે શ્રતમાં કહ્યું છે”. एतच्च योग्यत्वमेकभविकबद्धायुष्काभिमुखनामगोत्रलक्षणं नयभेदतो विचित्रं द्रष्टव्यं । तथाहिनैगमसंग्रहव्यवहारा एव विविध योग्यत्वमिच्छन्ति, स्थूलदृष्टित्वात् । दृश्यते हि स्थूलदृशां कारणे कार्योपचारं कृत्वा इत्थं व्यपदेशप्रवृत्तिः, यथा राज्यार्हकुमारे राजशब्दस्य घृतप्रक्षेपयोग्ये च घटे घृतघटशब्दस्येति । ऋजुसूत्रस्तु द्विविधमेवेच्छति बद्धायु कमभिमुखनामगोत्रं च, पूर्वनयेभ्यो विशुद्धत्वादाद्यस्यातिव्यवहितत्वेनातिपसक्तत्वात् । शब्दादयस्तु त्रयो विशुद्धतरत्वाद् द्वितीयमप्यतिव्यवहितं न मन्यन्ते, अतिप्रसङ्गभयादेकमेव चरमभेदमिच्छन्तीति । [ગ્યતાના ત્રણ પ્રકાર સાધુમાં જે દેવપણની યોગ્યતા કહી છે તે જુદા જુદા નયથી ભિન્ન ભિન્ન ત્રણ પ્રકારની કહી છે. ૧. એકભવિકતા ૨. બદ્ધાયુષ્કતા અને ૩. અભિમુખનામત્રભાવ. (૧) એકભવિકતા એટલે જેણે વર્તમાન ભવમાં દેવગતિનું આયુષ્ય બાંધ્યું ન હોય પરંતુ અનંતરભવમાં દેવગતિમાં જવાની યોગ્યતા ધરાવે તે એકભવિક દ્રવ્યદેવ કહેવાય. (૨) જેણે દેવગતિના આયુષ્યને વર્તમાન ભવમાં બંધ કરી દીધું છે તે બદ્ધાયુષ્ક દ્રવ્યદેવ કહેવાય. (૩) દેવ આયુષ્યને બંધ કર્યા પછી વર્તમાન ભવના છેલ્લા અંતર્મુહૂર્તમાં દેવગતિમાં ઉદયમાં આવનારી નામકર્મની પ્રકૃતિઓ અને ગેવકર્મ ફલાભિમુખ બન્યા હોય તે જીવ અભિમુખનામત્ર દ્રવ્યદેવ કહેવાય. ભિન્ન ભિન્ન નાની અપેક્ષાએ દેવભવની ગ્યતા ઉપરોક્ત રીતે ભિન્ન ભિન્ન છે. નિગમ, સંગ્રહ અને વ્યવહાર નયને ત્રણે પ્રકારની ગ્યતા સ્વીકાર્ય છે કારણ કે આ ત્રણ નાની દૃષ્ટિ સ્થળ છે. મૂળદષ્ટિવાળા પુરુષે કારણમાં કાર્યને ઉપચાર કરીને પૂર્વોક્ત ત્રણેય રીતે વ્યવહાર કરતા દેખાય છે. દા. ત. ભવિષ્યમાં રાજા બનવાને ગ્ય રાજકુમારને રાજા શબ્દથી સંબોધન કરવામાં આવે છે, અને ઘી ભરી શકાય એવા ઘડામાં આ ઘીને ઘડે છે એ શબ્દ પ્રયોગ કરવામાં આવે છે. ઋજુસૂવનય વાદને દ્વિતીય અને તૃતીય પ્રકારની ગ્યતા જ સ્વીકાર્ય છે. નૈગમ આદિ ત્રણ નયથી પણ વધુ વધુ વિશુદ્ધ વસ્તુને ગ્રહણ કરવાને સ્વભાવ અ. નયને હેવાથી એક ભવિકતા રૂપ યેગ્યતા
SR No.006002
Book TitleUpdesh Rahasya
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Jain Sangh
Publication Year1983
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy