SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ . ઉપદેશરહસ્ય ગાથા-૧૪૬ પ્રશ્ન –જેમ નિશીથાદિમાં આજ્ઞાનું પરિપાલન છે તેમ આચરણ પણ આજ્ઞા જ છે ને ! એટલે તે પાંચ વ્યવહારોમાં આચરણ સ્વરૂપ જીત વ્યવહારની પણ ગણતરી કરી છે તે પછી જયણના વિષયમાં આચરણ પણ પ્રમાણ કેમ નહિ? ઉત્તર :-જે આચરણું જ્ઞાનાદિ ગુણ વિધી ન હોય તે જ આચરણ આજ્ઞારૂપ છે અને પ્રમાણભૂત છે. રાગ-દ્વેષથી ખરડાયેલી અસંવિજ્ઞ લોકોની આચરણ આજ્ઞારૂપ નથી. કારણ કે તે ખોટા આલંબને અને બહાનાએ પકડીને ચાલી પડી હોય છે. અસંવિજ્ઞા લેકે પડતા કાળ વગેરેને દેષ કાઢીને પોતાના પ્રમાદાચરણને પણ માર્ગરૂપે સિદ્ધ કરવા મથતા હોય છે પણ એમની મથામણ નકામી છે. જેમ દુષમ કાળમાં ઝેર વગેરે મનુષ્યને મારવાને સમર્થ છે તેમ એ પ્રમાદાચરણ પણ દુઃષમ કાળમાં અનર્થ કરવાની શક્તિ ધરાવે છે. એ શક્તિને કઈ વિઘાત કરી શકતું નથી. કહ્યું છે કે–ઉપદેશપદ ગાથા-૮૦૦) જેમ પાંચમા આરાના પડતા કાળમાં ઝેરથી મૃત્યુ થાય છે તેમ નિષ્કારણ અપવાદ સેવનથી સર્વત્ર ચારિત્રને ધ્વસ થાય છે.” [અશઠ આચરણા પ્રમાણ ગણાય] “અવિરુદ્ધ આચરણનું લક્ષણ આ પ્રમાણે કહ્યું છે-“કેઈક અશઠ આચાર્યએ જે અસાવદ્ય આચરણ કર્યું હોય અને બીજા અશઠે એ તેનું નિવારણ ન કર્યું હોય તેનું આચરણરૂપે બહુમાન કરવા ગ્ય છે.” જ અશઠ પુરુષ એટલે અમાયાવી પુરુષ. આચાર્ય શ્રીમદ કાલિકસૂરિ વગેરે જેવા અમાયાવી સંવિઝ-ગીતાર્થ વગેરે ગુણધારક મહાપુરુષે કઈક કાળે કઈક ક્ષેત્રમાં ભા.સુ. પના પર્યુષણ પર્વનું ચોથને દિવસે પરિવર્તન કર્યું તે રીતે મૂળગુણ અને ઉત્તરગુણનું વિરોધી ન હોય એવું જે કાંઈ અસાવદ્ય આચરણ કર્યું હોય અને તેમના જેવા જ બીજા આચાર્યોએ તેમનું નિવારણ ન કર્યું હોય કિન્તુ તેને આદર કર્યો હોય તે જ ખરેખર આચરિત જાણવું. ૧૪પા નિશીથાદિ સૂત્ર સૂચિત આજ્ઞા અને શુદ્ધ આચરણ રૂપ આજ્ઞા વર્તમાન કાળે જે રીતે આરાધવાની શક્યતા છે તે શ્લેક ૧૪૬માં દર્શાવે છે दीसति बहू मुंडा दूसमदोसवसओ सपक्खेऽवि । ते दूरे मोत्तव्वा आणासुद्धेसु पडिबंधो ॥१४६॥ છે [સ્વપક્ષી મસ્તકમુંડાથી સતત ચેતતાં રહેવું] શ્લેકાર્થ –સ્વપક્ષમાં પણ દુષમકાળના દૃષથી ઘણાય માથું મુંડાવનારા દેખાય છે તેઓને દૂરથી જ પરિહાર કરે અને વિશુદ્ધ આજ્ઞાનું પાલન કરનારાઓમાં બહુમાન ભાવ રાખવો. ૧૪દા , एवंविधाज्ञासिद्धिः सांप्रतं यथा भवति तथाह-दृश्यन्ते स्वपक्षेऽपि किं पुनः परपक्ष इत्यपिशब्दार्थः, बहवो मुंडाः श्रमणगुणमुक्तयोगिनो हया इवोद्दामा गजा इव निरंकुशाः शिरोमुंडाः, दुषमादोषवशतः पंचमारकवैगुण्यवलात् तदुक्तम् ८"कलहकरा डमरकरा असमाहिकरा अणिव्वुइकरा य॥ होहिंति भरहवासे बहुमुंडा अप्पसमणा य॥" ६८ कलहकरा डमरकरा असमाधिकरा अनिर्वृत्तिकराश्च । भविष्यन्ति भरतवर्ष बहुमुडा अल्पश्रमणाश्च ॥
SR No.006002
Book TitleUpdesh Rahasya
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Jain Sangh
Publication Year1983
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy