SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશ-૩૫ ઉત્સર્ગ–અપવાદની તુલ્યતા અને ઔચિત્ય संथरओ साणं उस्सग्गो असहुणो परट्ठाण । इय सट्ठाण परं वा म होइ वत्थू विणा किंचि ॥१४२॥ [ઉત્સર્ગ–અપવાદનાં સ્વાસ્થાન-પરસ્થાન] . શ્લોકાઈ - સંસ્મરણને આશ્રયીને ઉત્સર્ગ સ્થાન છે અને અસહિષ્ણુને માટે ઉત્સર્ગ પરસ્થાન છે. આ રીતે વસ્તુ (=વ્યક્તિ વિશેષ) વિના કોઇપણ સ્વસ્થાન કે પરસ્થાન હોતું નથી. ૧૧રા संस्तरन्नो निस्तरतः उत्सर्गः स्वस्थान अपवादः परस्थानम् , असहस्या असमर्थस्य यः स्तरितुं न शक्नोति तस्यापवादः स्वस्थानमुत्सर्गः परस्थानम् , इति एवममुना प्रकारेण, पुरुषालमा वस्तु विना न किञ्चित्स्वस्थानं परस्थान का किन्तु 'पुरुषो वस्तु' 'संस्तरति न चे त्यतः पुरुषात् स्वस्थान परस्थानं वा निष्पद्यते । न चासंस्तरन्तं पुरुषमधिकृत्यान्यवचने निषिद्धं पुनरपोद्यते किन्तु यदृच्छयैव, इत्थं च यद्भावेन विहिते प्रवृत्तिरव्यवच्छिन्नतभावेनैव न निषिद्धे सा झ्यते किन्तु तृष्णयैव, अतृष्णामूलनिषिद्धप्रवृत्तेरुत्सर्गाऽसहिष्णुतानियतत्वात् । तथा च मोक्षबीजस्य जिनवचनस्यान्यवचनसदृशतोकनं महदज्ञानविजम्भितमेवेति भावः ॥१४२॥ તાત્પર્યાર્થ :- જે પુરૂષ દ્રવ્ય-ક્ષેત્રાદિ અનુકૂળ હોવાથી પિતાના સંયમને વિના અપવાદે વિસ્તાર કરી શકે તેમ હોય તેને માટે ઉત્સર્ગ સ્વસ્થાન છે અર્થાત ઉચિત છે. અને અપવાદ પરસ્થાન છે અર્થાત્ અનુચિત છે. જે પુરુષ અસહિષ્ણુ હોવાથી સીધેસીધે પિતાને નિર્વાહ કરી શકે તેમ ન હોય તેના માટે ઉત્સર્ગ પરસ્થાન છે અર્થાત્ અનુચિત છે, જ્યારે અપવાદ સ્વસ્થાન છે. આ રીતે જે વ્યક્તિને માટે સ્વસ્થાન કે પરસ્થાનનો વિચાર કરવાનો છે તે વસ્તુ એટલે કે વ્યક્તિવિશેષની દશા-અવદશાને ધ્યાનમાં લીધા વિના કહ્યું પરસ્થાન છે તે કહી શકાય તેમ હેતું નથી. કિન્તુ તે વ્યક્તિ કેણ છે અને તે સીધેસીધે સંયમ નિર્વાહ કરી શકે તેમ છે કે નહિ–આ બે વિગતના આધારે સ્વસ્થાન કે પરસ્થાનને નિર્ણય ફલિત થતો હોય છે. આવી સુંદર સ્વસ્થાન-પરસ્થાનની વ્યવસ્થા જૈન શાસનમાં જે ઉપલબ્ધ થાય છે તે જનેતર વચમાં ઉપલબ્ધ થતી નથી. ત્યાં વિસ્તાર કરવાને અશકત વ્યક્તિવિશેષને ઉદ્દેશીને જ નિષિદ્ધપ્રવૃત્તિની અનુજ્ઞા આપવામાં આવતી હોય એવું કશું નથી. પણ જેમ તેમ ઢંગધડા વગરની જ અનુજ્ઞા આપવામાં આવે છે. એટલે જેનેતરમાં જે પ્રયજન સિદ્ધ કરવા માટે વિહિત કાર્યમાં પ્રવૃત્તિ થતી દેખાય છે એ જ પ્રજન નિષિદ્ધ પ્રવૃત્તિમાં પણ અવિચ્છિન્ન હોય અર્થાત્ એ જ પ્રજનની સિદ્ધિના ઉદ્દેશથી નિષિદ્ધમાં પ્રવૃત્તિ કરાતી હોય એવું દેખાતું નથી. કિન્તુ મોટાભાગે રાગદ્વેષ અને સ્વર્ગાદિ સુખની તૃષ્ણાથી જ નિષિદ્ધ હિંસાદિના આચરણમાં પ્રવૃત્તિ થતી દેખાય છે. જે નિષિદ્ધ આચરણમાં પ્રવૃત્તિ કરવામાં આવે છે તે જે ખરેખર તૃષ્ણામૂલક ન હોય તે ત્યારે જ કરવાનું મન થાય જ્યારે ઉત્સર્ગમાર્ગે પ્રયજન સિદ્ધ કરવાની સહિષણુતા અર્થાત્ શક્તિમત્તા અવશ્ય ન હેય. [‘ાત્ર ચત્ર અતૃછામૂ નિષિદ્રવૃત્તિ સત્ર તત્ર સહિષ્ણુતા પૂર્વ વં નિયમ] આ પરિસ્થિતિમાં મેક્ષના હેતુભૂત જિનવચનને જૈનેતર વચનાથી તુલ્ય ગણવું, અજ્ઞાનની ચરમ સીમાને ઓળંગી જવા સમાન છે. ૧૪૨
SR No.006002
Book TitleUpdesh Rahasya
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Jain Sangh
Publication Year1983
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy