SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશ–૨૫ સ્યાદ્વાદ સમ્યક્ત્વનું બીજ પ્રકારના પરિણામની નિષ્પત્તિ પણ કેવી રીતે થઈ શકે ? કારણ કે એકાન્ત નિત્યવસ્તુને વિવિધ પરિણામે સાથે વિરોધ છે. આ કારણથી ઉપરોક્ત બે પ્રકારના એકાન્ત સ્થાનને આશ્રય લેવામાં આવે તો જેનેન્દ્ર આગમથી બહિષ્કૃત થઈ જવા રૂપ અનાચાર પ્રસૂતિ થાય છે. વસ્તુને જે “કથંચિત્ નિત્ય અને કથંચિત્ અનિત્ય સ્વીકારવામાં આવે તો જ પૂર્વોક્ત પ્રવૃત્તિ-નિવૃત્તિ રૂપ વ્યવહાર ઘટી શકે.” આ વૃત્તાન્તનું સૂચન સૂત્રમાં “તું” શબ્દથી કર્યું છે. અન્ય અંશની ઉપેક્ષા ન થાય તે રીતે વસ્તુના એક અંશનું અવલંબન કરવામાં આવે તે નયામક વ્યવહાર અને ઉભય અંશનું અવલંબન કરવામાં આવે તે પ્રમાણેત્મક વ્યવહાર પણ ઉપપન્ન થાય છે. [સ્યાદવાદમાં પણ એકાતની આપત્તિની શંકા અને સમાધાન ] શંકા : પ્રમાણાત્મક વ્યવહારમાં સ્થાન વિમેવ, સ્પાત મનિસ્રનેત્ર’ એવા અભિલાપમાં જે અવધારણાર્થક “એવકારને પ્રગ છે તેના સામર્થ્યથી વસ્તુમાં જે રૂપે નિત્યપણું છે તે રૂપે નિત્યપણું જ છે. આ જાતના એકાન્તપણાની આપત્તિ સ્યાદવાદમાં પણ ટાળી શકાય તેવી નથી. ઉત્તર :-એવકારથી સ્યાદ્વાદમાં નિત્ય કે અનિત્યત્વ ધર્મને વ્યવછે સંભવ નથી, કારણકે નિર્ભવ અસમાનાધિકરણ અનિત્ય અને અનિત્યલ્બ અસમાનાધિકરણ નિત્યત્વ જનમતમાં પ્રસિદ્ધ નથી. એટલે તેને વ્યવચ્છેદ પણ અપ્રસિદ્ધ છે. એટલે “હ્મ નિવ' એ વાક્યપ્રગમાં અનિત્યસ્વસહચારી નિયત્વની સત્તાનું જ વિધાન હોવાથી કિશ્ચિદ્ અંશની અપેક્ષાએ અનિત્યને વ્યવચ્છેદ અભિપ્રેત છે, પણ સર્વથા નહિ. એટલે આ રીતે એકાન્તાનુવિદ્ધ અનેકાન્ત સુરક્ષિત રહે છે. શ્રીમાન સંમતિતર્કસૂત્રારે (કાંડ–૩ સૂત્ર-૨૭માં) પણ કહ્યું છે કે જેમ અનેકાનસિદ્ધાન્ત સર્વદ્રાને લાગુ પડતો હોવાથી સર્વદ્રવ્યોમાં અનેકાના ભકત્વ પ્રસિદ્ધ કરે છે તેમ અનેકાન સિદ્ધાન્તમાં પણ અનેકાન્ત લાગુ પડતા હોઈ તેમાં પણ અનેકાન્તાત્મકતા સિદ્ધ થાય છે. એટલે અનેકાન્તને (કથંચિંત) એકાન્તરૂપ કહેવામાં આવે તે શાસ્ત્રની કઈ અવગણના નથી. ___न चैकावच्छेदेन नित्यत्वादिकमेवेत्येवमेकान्तप्राप्तिः, गुजाफले कृष्णत्वरक्तत्वयोरिख नित्य• त्यानित्यत्वयोः खंडशोऽनवस्थानात् , गुडसुंठीद्रव्ययोरिवैकगोलकीकृतयोस्तयोरेकलोलीभावनैवावस्थानात् । एतेन द्रव्यार्थत्वादौ नित्यत्वाद्यवच्छेदकत्वमेवेत्येवमेकान्तापत्तिरपि निरस्ता, पररूपादिना तत्र तदभावाच्चेत्यन्यत्र विस्तरः । [ ભિન્ન ભિન્ન અંશે એકાન્ત અપત્તિની શકો અને સમાધાન ] " શંકા-જેમ ચણોઠીમાં અર્ધભાગ આશ્રયીને રક્તવર્ણ અને અન્ય અર્ધભાગ આશ્રયી શ્યામવર્ણ પરસ્પરથી ભિન્ન દેશમાં એકાતે અવસ્થિત હોય છે એ જ રીતે દરેક વસ્તુમાં જનમતે એક અંશ આશ્રયીને નિત્યવ અને અન્ય અંશ આશ્રયીને અનિત્યવ પરસ્પર ભિન્ન દેશમાં અવસ્થિત હોવાથી પુનઃ એકાન્તની આપત્તિ યથાવત્ પ્રસક્ત થાય છે. ઉત્તર :–જૈનમતે ચણોઠીમાં રક્ત શ્યામવર્ણની જેમ નિત્યત્વ અને અનિત્યત્વ એક વસ્તુમાં સર્વથા પરસ્પર ભિન્નદેશવતી નથી. એટલે ચણેઠીના દષ્ટાંતથી જે એકાન્તની આપત્તિ દર્શાવી છે તે નિમ્ળ છે. જન મતમાં તે નિત્યત્વ અને અનિત્યત્વ એક જ વસ્તુમાં પરસ્પર આક્રાન્ત થઈને તાદામ્યભાવે સમાવિષ્ટ છે. જેમ સૂંઠની ગેળીમાં સૂંઠ અને ગેળ દ્રવ્ય
SR No.006002
Book TitleUpdesh Rahasya
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Jain Sangh
Publication Year1983
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy