SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશ ૨૩–સુવિહિત સાધુઓ આજે પણ વિદ્યમાન છે. इदानीमुदीरितं मुनिवृत्तं सांप्रतकालेऽपि योजयन्नाह ઘણાને એવું ઠસી ગયું હોય છે કે આ પાંચમા આરાના પડતા કાળમાં તે આગળ દર્શાવ્યા તેવા સાધુઓ હોય જ ક્યાંથી ? આવી ઉખલ કલ્પનાને બહિષ્કાર કરતા પૂજ્ય શ્રીમદ્દ ઉપાધ્યાયજી મહારાજ વર્તમાનકાળમાં પણ તેવા સાધુઓની વિદ્યમાનતામાં પિતાની અખંડિત શુદ્ધ શ્રદ્ધા શ્લોક-૧માં વ્યક્ત કરી રહ્યા છે– एवं खु दुस्समाए समिया गुत्ता य संजमुज्जुत्ता । पनवणिज्जासग्गहरहिया साहू महासत्ता ॥९१॥ પ્લેકાર્થ દુષમ કાળમાં પણ એવા સમિતિ-ગુમિ રત, સંયમમાં ઉઘત, સુખબધ્ધ અને અસગ્રહરહિત તથા મહાસત્તશાળી સાધુઓ વિદ્યમાન છે. વેલા एवमुक्तप्रकारेण 'खु' इति निश्चये, दुःषमायां पंचमारकलक्षणकाले, अपिगम्यः तत्रापि सर्वतः प्रवृत्तनिरंकुशाऽसमञ्जसाचारायां वक्ष्यमाणलक्षणाः साधवो ज्ञातव्याः, इति वाकयार्थसम्बन्धः । समिता ईर्यादिसमितिपरायणाः, गुप्ताः संलीनमनोवाक्कायाः, संयमे=पञ्चाश्रवविरमणादिरूपे सप्तदशभेदे उद्यक्ताः उत्तरोत्तरानुष्ठानचिकीर्षानुबद्धप्रवृत्तिमन्तः, प्रज्ञापनीयाः कुतोऽप्यनाभोगात् सामाचारीतः स्खलनेऽपि सविनैर्गीतार्थश्च प्रज्ञापयितुं शकयास्ते च तेऽसन्नसुन्दरो ग्रहः स्वविकल्पात्तथाविधागीतार्थप्रज्ञापकोपदेशाद् वा विपर्यस्तरूपतया शास्त्रार्थस्यावधारणं तेन रहिताः, तथा महासत्त्वा भगवदाज्ञातो देवैरपि चालयितुमशक्याः ॥९१॥ તાત્પર્યાથ:-ગમે તેટલું કષ્ટ આવી પડે તે પણ પૂર્વે કહ્યા મુજબ શુભભાવથી ચલિત થાય નહીં એવા સાધુ મહાત્માઓ વર્તમાનકાળમાં પાંચમા આરામાં સર્વથા ન જ હોય એવું નથી. કારણ કે ભગવાનનું શાસનરૂપી સિતારો પાંચમા આરાના છેડા સુધી આ ભરતક્ષેત્રના ગગનમાં ચમકતા રહેવાનો છે. એટલે વર્તમાન કાળમાં કે જેમાં નિરંકુશ પ્રવૃત્તિઓએ માઝા મૂકી છે અને વિપરીત આચારે ફાલીફુલી રહ્યા છે ત્યારે પણ આ ભરતક્ષેત્રમાં ઈર્યા વગેરે પાંચ સમિતિનું પાલન કરવામાં ઉત્સાહી, મનવચન-કાયાની ગુપ્તિત્રયથી અલંકૃત, પંચાશ્રવ પરિહાર સ્વરૂપ સત્તર પ્રકારના સંયમમાં ઉત્તરોત્તર ચઢિયાતા અનુષ્ઠાન આરાધતા જવાની ઈચ્છાથી ગાઢપણે સંકળાયેલી પ્રવૃત્તિઓમાં નિરંતર ઉદ્યમી, કઈક અનાગના કારણે સામાચારીથી દૂર જઈ રહ્યા હોય ત્યારે સંવિજ્ઞ ગીતાર્થે તેમને પુનઃ શુદ્ધ સામાચારીની અભિમુખ કરવા પ્રયત્ન કરે તે તુરત જ પાછા વળે એવા સુખબેધ્ય અને સ્વચ્છંદમતિ કલ્પનાથી અથવા તેવા પ્રકારના અગીતાર્થ ઉપદેશકના સલાહસૂચનથી, વિપરીતપણે શાસ્ત્રના તાત્પર્યનું અવધારણ ન કરી બેઠા હોય તેવા અર્થાત્ અસગ્રહ રહિત અને દેવે પણ જિનાજ્ઞાથી જેમને ચલિત ન કરી શકે તેવા પ્રબળ સત્વશાળી સાધુમહાત્માઓ આજે પણ વિદ્યમાન હવામાં કઈ શંકા રાખવાની જરૂર નથી. આપણને તેવા સાધુમહામાનું દર્શન ન થતું હોય કે ભેટે ન થતો હોય તે તેમાં આપણું કમનસીબ જ , ભાગ
SR No.006002
Book TitleUpdesh Rahasya
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Jain Sangh
Publication Year1983
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy