SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭* ઉપદેશરહસ્ય ગાથા-૨૦ ___ नन्वेवं शुभयोगेच्छाया अनपायेऽपि तत्र प्रवृत्त्यभावात् कथं फलसिद्धिरिच्छा हि प्रवृत्तावेवोपयुज्यते प्रवृत्तिश्च फलजनन इत्याशङ्कयाह શંકા ફળસિદ્ધિ માટે માત્ર શુભયોગની ઇચ્છા અખંડિત રહે એટલું જ જરૂરી નથી, શુભયોગમાં પ્રવૃત્તિ પણ જરૂરી છે કારણ કે સાધ્યની સિદ્ધિમાં પ્રવૃત્તિ હેતુ છે અને ઈચ્છા તે પ્રવૃત્તિના ઉત્થાનમાં પ્રેરક છે. સાધ્યની સિદ્ધિમાં તે કાંઈ સીધેસીધી હેતુ બની જતી નથી. તો પછી શુગની ઈચ્છા અખંડિત રહે તે પણ પ્રવૃત્તિના અભાવમાં લાભ શું? શ્લોક-૯૦માં આ શંકાનું સમાધાન પ્રસ્તુત છે – अपयट्टो वि पयट्टो भावणं एस जेण तस्सत्ती । अकरखलिआ निविडाओ कम्मखओवसमजोगाओ ॥९०॥ શ્લોકાર્થ : (બાહ્ય) પ્રવૃત્તિના અભાવમાં પણ ભાવથી (=અત્યંતર રીતે) તે પ્રવૃત્ત જ છે. કારણ કે કર્મના ઉત્કટ ક્ષયે પશમના વેગથી પ્રવૃત્તિની શક્તિ અસ્મલિત હોય છે. अप्रवृत्तोऽपि प्रतिबन्धात् द्रव्यक्रियायामव्यापृतोऽपि, भावेन परमार्थेन प्रवृत्त एष शुभभाववान् , येन कारणेन तच्छक्तिः सत्प्रवृत्तिशक्तिः अस्खलिता=अव्याहता, निबिडात् वज्राश्मवदुर्भेदात् कर्मक्षयोपशमयोगात् सत्प्रवृत्तिप्रतिपन्थिचारित्रमोहनीयकर्मक्षयोपशमसम्बन्धात् । इत्थं चात्र शक्ये शक्त्यस्फोरणविनाकृतः शुभभाव एव स्वगतनिर्जरालाभहेतुरबाह्यत्वाच्चैतत्फलस्य बाह्यप्रवृत्त्यभावेऽपि न क्षतिरिति फलितम् ॥९०॥ તાત્પર્યાઃ પ્રતિકૂળ દ્રવ્ય-ક્ષેત્ર વગેરેની માઠી અસરથી બાહ્ય દ્રવ્યક્રિયામાં પ્રવૃત્તિ (=અનુકુળ વ્યાપાર) મુનિ મહાત્માઓ કરી શકતા નથી, તો પણ પ્રવર્તવાના શુભ ભાવે અખંડિત હોવાથી તાત્ત્વિક દષ્ટિએ જોઈએ તે સાધ્યસિદ્ધિમાં તેઓની આત્યંતર ભાવાત્મક પ્રવૃત્તિ સતત ચાલુ જ રહે છે. કારણ કે આત્યંતર સપ્રવૃત્તિમાં વિરોધી ચારિત્ર મોહનીય કર્મ છે, એના પ્રબળ-વા અને પાષાણ જેવા નક્કર ક્ષયે પશમથી તેવી સમ્પ્રવૃત્તિ કરવા માટે શક્તિ અખંડિત હોય છે. વિચાર કરતા ઉપરોક્ત કથનને એ ભાવાર્થ નિકળી આવે છે કે જે અનુષ્ઠાન શક્ય હોય એમાં શક્તિના અસ્ફારણનો અભાવ અર્થાત્ તેમાં શક્તિ ફેરવ્યા વિના ન રહેવાપણું શુભભાવ સાથે ગાઢરીતે સંકળાયેલું હોવાથી પિતાના આત્માને કર્મનિર્જરા રૂપ લાભમાં પ્રજાક બને છે. આ લાભ બાહ્ય નહિ પણ આંતરિક ફળ રૂપ હોવાથી તેમાં મુખ્ય હેતુ પણ આંતરિક ભાવાત્મક કારણ જ હય, બાહ્ય પ્રવૃત્તિ તે તે ભાવના સંપાદનમાં જ ઉપયોગી રહી એટલે તેવા ભાવની સ્વતઃ વિદ્યમાનતામાં બાહ્યપ્રવૃત્તિ ન પણ હોય તે પણ સાધ્યસિદ્ધિ થવામાં કાંઈ અટકતું નથી. જેને
SR No.006002
Book TitleUpdesh Rahasya
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Jain Sangh
Publication Year1983
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy