SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશ–૧૭ કાળ પાયા વિના આઝાયોગ નિષ્ફળ ૧૩૯ ८७"तित्थंकराइपूअं दळुणण्णेण वा वि कज्जेण । सुअसामाइअलाभो होज्ज अभव्वस्स गंठिम्मि ॥" તતÁ– ( ) “जे दंसणवावण्णा लिंगग्गहणं करेंति सामण्णे । तेसि चिय उववाओ उक्कोसो जाव गेविजा । इति । अनोत्तर विधीयते-नन्विति परपक्षाऽक्षमायाम् , तत् अवेयकसुखम् , दूरभव्यादीनां योगप्रभवं= क्रियौषधयोगमात्रजनितम् , न तु परिणामेन आयतिकालशुभानुबन्धनेन । यथाहि सदौषधमकालप्रयोगात् क्षणमात्र स्वसम्बन्धसामर्थ्यादसाध्यव्याधौ सौख्यमुपनयति, तदनन्तरं च समधिकव्याधिप्रकोपाय संपद्यते, एवमधिकृताज्ञायोगौषधप्रयोगोऽप्यपक्वभव्यत्वानां सत्त्वानां ग्रैवेयकादिसुखसिद्धिमात्रमाधाय पश्चात् पर्यायेण नरकादिदुर्गतिप्रवेशफल: संपद्यत इति को दोषः प्रकृते, न कश्चिदित्यर्थः । यदि हि परिणामतः सुखं मोक्षलक्षणतः स्यात्तदा स्यादपि व्यभिचारलक्षणो दोषः, इदं त्वापातमात्रसुखं न फलं किन्त्वानुषङ्गिक, कृषेरिव पलालमिति भावः ॥६६॥ [ અભવ્ય આદિને શૈવેયક દેવલોકના સુખનું મૂળ બાહ્ય ક્રિયા] તાત્પર્યાથ : પૂર્વમાં કહ્યા મુજબ જે અકાળે એટલે કે તથાભવ્યપરિપાક અભાવ કાળમાં આજ્ઞાગના પાલનથી કોઈ લાભ થતો જ ન હોય તે શાસ્ત્રમાં અભવ્ય અને દૂરભવ્ય જેને પણ ચારિત્રની ક્રિયાથી ગ્રેવેયક સુખની પ્રાપ્તિ સંભળાય છે તે સંગત કઈ રીતે થાય ? વિશેષાવશ્યક ભાષ્યમાં પણ કહ્યું છે કે “તીર્થકર વગેરેની પૂજાને જોઈને અથવા અન્ય નિમિત્તથી ગ્રન્થિદેશે આવેલા અભવ્ય ને પણ શ્રતસામાયિકનો લાભ સંભવે છે. તેમજ જેઓ સમ્યગ દર્શનથી પતિત થયેલા છે પણ શ્રમણલિંગને ગ્રહણ કરે છે તેઓને પણ ઉત્કૃષ્ટ ઉપપાત શૈવેયક દેવલોક સુધી હોય છે.” | મૂળ શ્લોકમાં નનું શબ્દથી ઉપરોક્ત પ્રશ્ન પ્રત્યે યુક્તિબાહ્યતાભાવ દાખવીને ઉત્તર આપતા કહ્યું છે કે-“દૂરભવ્ય વગેરે જીવોને પ્રાપ્ત થતું પ્રવેયકનું સુખ ભાવિમાં હિતકારક શુભપ્રકૃતિઓના અનુબંધથી ઉદ્દભવતું નથી, પરંતુ માત્ર ક્રિયારૂપી ઔષધના સંબંધ માત્રથી પ્રગટ થનાર છે. તાત્પર્ય એ છે કે જેમ ઊંચી જાતનું ઔષધ પણ અકાળે ગ્રહણ કરવામાં આવે તે ક્ષણવાર પોતાના બાહ્ય સેવન માત્રથી અસાધ્ય વ્યાધિમાં સુખાનુભવ કરાવી દે છે, પરંતુ તે પછી રોગ વધુ જોરથી પ્રકુપિત થાય છે. તેમ પ્રસ્તુત આજ્ઞાગ રૂપી ઔષધનું સેવન તથા ભવ્યત્વ-પરિપાક શૂન્ય દૂરભવ્યજીવોને તેમ જ અભવ્ય જીને ૨૨ સાગરોપમ કે જે મોક્ષસુખ ના અનંતકાળની અપેક્ષાએ બિન્દુ પણ નથી, એટલા અલ્પકાળ માટે ગ્રેચક દેવલી વગેરેના સુખ મળી જતા હોવા છતાં પણ ત્યાર પછીના ભામાં નરક વગેરે દુર્ગતિમાં પતન થાય છે. પૂર્વોક્ત પ્રશ્નનું આ સમાધાન છે જેમાં કેઈ દોષને અવકાશ નથી. દોષને તે અવકાશ ત્યારે મળે કે જ્યારે અકાળ આજ્ઞા પ્રયોગથી મોક્ષસુખની પ્રાપ્તિ પણ શકય હોય. સ્વર્ગનું સુખ તે બાહ્ય દેખાવમાં સુખાભાસ તુલ્ય છે, પરિણામે દુઃખરૂપ છે એટલે તેને મુખ્યફળ માનવાની જરૂર જ નથી. અનાજ પકાવવાના ઉદ્દેશથી થતી ખેતીમાં જેમ ઈચ્છા ન હોવા છતાં પણ બીનજરૂરી ઘાસ પણ ઉત્પન્ન થઈ જાય છે તે જ રીતે બાહ્યચારિત્ર ક્રિયાથી આનુષંગિક સ્વસુખની પ્રાપ્તિ માનવામાં દોષને કોઈ અવકાશ નથી. ૬૬ ९७ तीर्थकरादिपूजां दृष्ट्वाऽन्येन वापि कार्येण । श्रतसामायिकलाभो भवेदभव्यस्य ग्रन्थी ।। ९८ ये दर्शनव्यापन्ना लिंगग्रहणं कुर्वन्ति श्रामण्ये । तेषामेवोपपात उत्कर्षों यावद् प्रेवेयकम् ॥
SR No.006002
Book TitleUpdesh Rahasya
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Jain Sangh
Publication Year1983
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy