SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ ઉપદેશરહસ્ય ગાથા-૬૪ लभ्यन्ते, तथापि चैत्यवंदनपश्चाशकवृत्तौ अभयदेवमरिभिर्भाववंदनाधिकारितायामपुनबंधकवदेतावनधिकृतौ सकृबंधकादिवत् पृथक्कृतौ चेत्यस्माभिरपि व्यावर्त्तमानावेतौ विवक्षाविषयीकृत्य "गंठिगया" इत्यादिनाऽप्रधानावुक्ताविति यथाशास्त्रं परिभावनीयं सुधीमिः ॥६४॥ તાત્પર્યાર્થ -ઔષધની જેમ આજ્ઞાનના વિષયમાં પણ ઉચિતકાળમાં સફળતા અને અનુચિત કાળમાં નિષ્ફળતાની ભાવના આ પ્રમાણે છે.–તાવ આવવાનો પ્રારંભ થયો હોય તે વખતે ઔષધ લેવામાં આવે છે તે તાવ શમાવવામાં નિષ્ફળ જાય છે. ઉલટું ક્યારેક પીડામાં વૃદ્ધિ કરે છે અને તાવ વધવાની મર્યાદા આવી જાય પછી ઔષધ લેવામાં આવે તે ધીમે ધીમે તાવ ઉતરી જાય છે. એ જ રીતે સંસારરૂપી મહાગથી ઘેરાયેલા રેગી આત્માઓને અકાળે આજ્ઞા પાલન કરાવવામાં આવે તે નિષ્ફળ જાય છે અને ઉચિત કાળે કરાવાતું આજ્ઞાપાલન સંસારરૂપી રેગને ટાળવામાં સફળ થાય છે. | [આજ્ઞાયાગની સફળતા માટે ઉચિત-અનુચિત કાળ] - બ્લેકના ઉત્તરાર્ધમાં ક કાળ ઉચિત અને કયે અનુચિત તે દર્શાવ્યું છે. ગાઢ મિથ્યાત્વને કાળ એ અનુચિત કાળ છે. ઘન એટલે અત્યંત ગાઢ નિબિડ. જેમ ભાદરવા માસની અમાસની મધ્યરાત્રિએ આકાશમાં કાજલ શ્યામ વાદળાઓ ભરપૂર છવાયેલા હોય. તારા અને નક્ષત્રના પ્રકાશને ધરતી ઉપર ઊતરવાને માર્ગ રુપાઈ ગયા હોય ત્યારે જે ગાઢ અંધકાર છવાઈ જાય છે એની જેમ આત્મારૂપી આકાશમાં તીવ્ર જ્ઞાનાવરણાદિ કર્મોના વાદળ છવાયેલા હેય. સદ્દગુરૂના ઉપદેશના કિરણે આત્માની ધરતીને સ્પર્શી શકે તેમ ન હોય ત્યારે આત્મામાં તવના વિષયમાં સંપૂર્ણ વિપર્યાસ રૂપ મિથ્યાત્વનું સામ્રાજ્ય અબેધિત હોય છે. આવું ઘન મિથ્યાત્વ ચરાવર્તને છોડીને બાકીના બધા જ ભૂતકાલીન અનંત અચરમાવોંના કાળમાં લખ્યાવકાશ હોવાથી તે તે કાળ આજ્ઞાગ માટે અગ્ય છે. તથા ભવ્યત્વને પરિપાક માત્ર ચરમાવર્તકાળમાં જ શક્ય હોઈબીજાધાન વગેરે માટે યોગ્યકાળ ચરમપુલપરાવર્ત જ સંભવી શકે છે. દીક્ષાવિધાન નામના દ્વિતીય પંચાશકની તૃતીય ગાથામાં પણ યથાપ્રવૃત્તકરણ નામના પરિણામ વિશેષથી જે આત્માની અતિદીર્ઘ કર્મસ્થિતિ ઘણે અંશે ઘટી ગઈ છે તેવા અધ્યવસાવિશુદ્ધિવાળા જીવને દીક્ષા માટે અધિકારી કહ્યો છે. તે ગાથાને અર્થ આ પ્રમાણે છે. ચરમપુદગલપરાવર્તકાળમાં જ (દીસ્થિતિ રૂપી કર્મમળના હાસથી) શુદ્ધ સ્વભાવવાળા અને ઉત્તરોત્તર વિશુદ્ધિને અનુભવી રહેલા આત્માને જ દીક્ષાની ગ્યતા કહી છે.” [અપુનબંધક–માર્માભિમુખ માગપતિતની વ્યાખ્યા] આ વચનને અનુસરીને પ્રસ્તુત શ્લેકના ઉત્તરાર્ધમાં અપુનબંધક વગેરે અવસ્થાવિશિષ્ટ કાળને જ યેગ્ય કહ્યો છે. અપુનબંધક જીવનાં લક્ષણે આ જ ગ્રન્થના મૂળક–૨૨માં (‘સો ગપુનરંવા નો ) કહી ગયા છે. તેમ જ પંચાશકશાસ્ત્ર (૩/૪)માં પણ વાવં ન તિવમાવા રૂ...આ શ્લોકમાં (તથા યોગબિંદુ . ૧૭૮માં, ગશતક . ૧૩માં) દર્શાવ્યા છે. અપુનબંધકાદિ પદમાં આદિ શબ્દથી અપુનબંધક ઉપરાંત ‘માર્ગાભિમુખ” તથા “માર્ગ, પતિત” પણ અભિપ્રેત છે. માર્ગ એટલે ચિત્તનું અવક્રગમન, જેમ સર્ષ વક્રગમી હોવા છતાં
SR No.006002
Book TitleUpdesh Rahasya
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Jain Sangh
Publication Year1983
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy