SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશ–૧૬ અશુભ અનુબંધુ કલેશનું મૂળ છે. ૧૩૧ ચીજ પ્રત્યે આત્માનું આકર્ષણ મંદ પડે છે. અસત્ પ્રવૃત્તિની નિંદા-ગહ કરવાથી અસતું પ્રવૃત્તિનો રસ ક્રમસર ઘટતો જાય છે. કદાચ એ તાત્કાલિક ન ઘટે તે પણ અસત્ કાર્યમાં પ્રવર્તાવનાર અશુભ પ્રવૃતિઓનું જોર ઘટવા માંડે છે. તેના અનુબંધ શિથિલ થાય છે. પરિણામે ઉત્તરોત્તર અશુભ પ્રકૃતિનો હાસ થાય છે. અસતુ કાર્યોમાં પ્રવર્તવાનો રસ ઓછો થાય છે અને શુભાનુષ્ઠાનમાં પ્રવર્તવાને ઉત્સાહ વધતો જાય છે. જે અશુભાનુબંધને તોડવાનો પ્રયાસ કરવામાં ન આવે તે પ્રથમ તે ધર્માચરણને અવકાશ જ રહેતો નથી કારણ કે અલ્પમાત્રામાં ધર્મ થઈ જાય તો પણ અતિચાર (લઘુદષ) રૂપી પંકથી મલિનભાવવાળે થાય છે. આશય એ છે કે દોષનો અનુબંધ સબળ હોય તો મૂળગુણ અહિંસા વગેરેને ભંગ થાય છે એટલે ધર્મનો ઉદ્દગમ જ થતું નથી. દોષને અનુબંધ તીવ્ર ન હોય, મંદ પણ હોય તે યદ્યપિ ધર્મને ઉદ્દગમ થાય છે પરંતુ વિશુદ્ધ ધર્મને નહિ. અશુદ્ધધર્મને જ ઉદ્દગમ થાય છે. ઉભય સ્થળે અશુભાનુબંધના કારણે પરમાર્થથી તે અધર્મને જ જન્મ થાય છે. એકવાર સમ્યક્ત્વ પ્રાપ્ત કરીને સંયમ ધર્મમાં ઓતપ્રોત બની ચૌદપૂર્વ મહાશાસ્ત્રનું પારાયણ કરનારા મહર્ષિઓને પણ પ્રમાદના ધક્કાથી ધકેલાઈને ઉન્નતિના શિખર પરથી પટકાઈને અનંતસંસારપરિભ્રમણની ખીણમાં ગબડવું પડ્યું હોય તો તેમાં મહત્ત્વનો ભાગ ભજવનાર પ્રચંડ શક્તિશાળી અશુભપ્રકૃતિઓને અનુબંધ જ છે. [અનંતકાળના અંતરમાં શાસ્ત્ર સમ્મતિ]. એકવાર પ્રાપ્ત થયેલા સમ્યગુદર્શનાદિ ગુણોથી પતન પામનારા આત્માઓને ફરી તે ગુણના લાભમાં અનંતકાળનું આંતરું પડ્યું તે હકીકત શાસ્ત્રમાં પણ ઉપલબ્ધ થાય છે. આવશ્યક નિર્યુક્તિમાં શ્રુતકેવલી શ્રીભદ્રબાહુ સ્વામી મહારાજ જણાવે છે કે “ઘણી આશાતના કરનારા આત્માઓને ઉત્કૃષ્ટથી દેશના અર્ધપગલપરાવર્ત જેટલા અનંતકાળનું અંતર હોય છે એવું કૃતવચન છે.” આવડું મોટું અંતર અશુભાનુબંધના પ્રભાવ વિના અઘટિત છે. અવશ્ય ભેગવવા પડે તેવા અશુભાનુબંધી કર્મો વિના એકવાર સમ્યગ્દર્શનથી ગ્રુત થયા પછી તેની પુનઃ પ્રાપ્તિમાં કાળનું પૂર્વોક્ત વિશાળ અંતર પડવામાં બીજો હેતુ હોઈ શકે ? ગ્રંથભેદપૂર્વે પણ અનાદિકાળથી આના આ જ સંસારમાં અનંતવાર આત્માનું પરિભ્રમણ થયું, તે અશુભાનુબંધના હેતુએ જ, ઉપદેશપદ શાસ્ત્રમાં પણ કહ્યું છે કે “ગ્રન્થભેદ પૂર્વે પણ થયેલ અનંતવાર કર્મનિ બંધ અશુભાનુબંધ વિના થયા નથી. આ અનંતવાર કર્મબંધ પણ (અશુભાનુબંધ મૂલક હેવાથી) અથભાનુબંધ સ્વરૂપ જ જાણે.” દરા [અશુભાનુબંધવિદ પુરુષાર્થસાધ્ય ન હોવાની શંકા] ननु शुद्धाज्ञायोगेऽपि चतुर्दशपूर्वधरादीनामशुभानुबन्धाऽव्यवच्छेदान्नियतिपरिपाकमात्रसाध्ये कस्तद्वर्जनप्रयास इत्याशङ्क्याह શંકા - શુદ્ધાજ્ઞાગ વિદ્યમાન હોવા છતાં પણ ચૌદપૂર્વધર વગેરેને પણ અશુભાનુબંધને વિચ્છેદ ન થવાથી અનંતસંસાર પરિભ્રમણ કરવું પડે છે તેનાથી એ ફલિત થાય
SR No.006002
Book TitleUpdesh Rahasya
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Jain Sangh
Publication Year1983
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy