SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ ઉપદેશરહસ્ય ગાથા–પર ८ अहवप्पकम्महेऊ ववसाओ होई पुरिसगारो ति । बहुकम्मणिमित्तो उण अव्ववसाओ दइवो त्ति ॥३५१॥ [ ગૌણ-મુખ્ય ભાવને અવલંબીને વ્યવહારભેદની ઉપપત્તિ ] તાત્પર્યાથ-જનદર્શનના સર્વ સિદ્ધાંતમાં સ્યાદ્વાદનો સિદ્ધાંત વણાયેલું હોવાથી સર્વ કાર્ય કથંચિત્ દેવકૃત અને કથંચિત્ પુરૂષાર્થકૃત છે તે પંડિતજન પ્રસિદ્ધ વ્યવહાર માન્ય છે તેનો અર્થ એ નથી કે સર્વક સંમત પૃથકૃત્વ વ્યવહાર અમાન્ય છે. કારણકે જનદર્શનમાં તેની પણ બે પ્રકારે ઉચિત વ્યવસ્થા ગૌણ-મુખ્ય ભાવને દૃષ્ટિ સમક્ષ રાખીને કરવામાં આવેલી છે. તે આ પ્રમાણે– (૧) અલ્પપ્રયત્ન સહકૃત કર્મથી જ્યાં ફળનો આવિર્ભાવ થાય છે ત્યાં તે ફળ કર્મથી નિપજયું તે લેકમાં વ્યવહાર થાય છે અને અધિક પ્રયત્ન સહકૃત કર્મથી જ્યાં ફળને આવિર્ભાવ થાય છે ત્યાં તે ફળ પુરુષાર્થથી નિપજયું તે વ્યવહાર લેકમાં થાય છે. અથવા (૨) દુર્બળ કર્મ સહકૃત પુરૂષાર્થથી નિપજતું ફળ પુરૂષાર્થથી નિપજયું તે લોકમાં વ્યવહાર થાય છે. અને સબળકર્મ સહકૃત પુરૂષાર્થ જન્ય ફળમાં આ ફળ કર્મથી નિપજયું એવો વ્યવહાર લેકમાં થાય છે. તાત્પર્ય એ છે કે જ્યાં ઓછી મહેનતે અવિલંબે ફળ પ્રાપ્ત થતું દેખાય છે ત્યાં કર્મને પ્રધાન અને પુરૂષાર્થને ગૌણ માનવામાં આવે છે અને જ્યાં ઘણી મહેનતે અને ઘણું વિલબે ફળની પ્રાપ્તિ થાય ત્યાં પુરૂષાર્થ પ્રધાન અને કર્મ ગૌણ છે. વિશેષણ વિશેષ્ય લેકવ્યવહાર ૧. અલ્પ પ્રયત્ન થી વિશિષ્ટ કર્મ કર્મકૃત ૨. અધિક પ્રયત્ન થી વિશિષ્ટ કર્મ પ્રયત્ન-પુરૂષાર્થકૃત ૩. અ૫ કર્મ થી વિશિષ્ટ પ્રયત્ન પ્રયત્ન–પુરૂષાર્થકૃત ૪. અધિક કર્મ થી વિશિષ્ટ પ્રયત્ન કર્મકૃત ૧ તથા ૨ ભાંગામાં કર્મ એ વિશેષ્ય છે અને પ્રયત્ન વિશેષણ છે. જ્યારે ૩ તથા ૪ ભાંગામાં પ્રયત્ન વિશેષ્ય છે અને કર્મ વિશેષણ છે. આ બે પ્રકારના વિશેષણ-વિશેષ્યભાવનું પ્રજ્ઞાપન એટલે કે પ્રરૂપણામાં કેઈપણ એક પ્રકારને બીનજરૂરી ઠરાવી શકાય તેમ નથી કારણ કે બન્ને પ્રકારમાં વિનિગમક=અન્યતર પક્ષસાધક કોઈ વિશેષ યુક્તિ નથી. વળી વ્યવહારનયની વ્યુત્પત્તિ એટલે કે કાર્યકારણભાવ અંગેના વિચિત્ર અભિપ્રાયથી એક પ્રકારમાં વિશેષ્યરૂપે કર્મની ઉપસ્થિતિ અને અન્ય પ્રકારમાં વિશેષ્યરૂપે પુરૂષાર્થની ઉપસ્થિતિ થવામાં કઈ અનુપપત્તિ નથી. કોઈક ફળ કર્મથી નિપજ્યું એવા લેકપ્રસિદ્ધ શાબ્દિક વ્યવહારને અર્થ એ છે કે ગણપુરુષાર્થ વિશિષ્ટ કર્મથી તે ફળની નિષ્પત્તિ થઈ છે. તેમ જ કઈક ફળ પુરૂષાર્થથી નિપજ્યું તેવા લોકપ્રસિદ્ધ શાબ્દિક વ્યવહારનો અર્થ એ છે કે ગૌણકર્મ 9 પુરૂષાર્થથી તે ફળની નિષ્પત્તિ થઈ છે. અહીં સામાન્ય કર્મશબ્દથી ગૌણુપુરુષાર્થવિશિષ્ટકર્મ અને સામાન્ય પુરુષાર્થ શબ્દથી ગૌણકર્મવિશિષ્ટ પુરુષાર્થ એ વિશેષ અર્થ લેવામાં આવ્યો છે તેમાં કોઈ દોષ નથી કારણ કે લેકવ્યવહારમાં અનેક પ્રસંગમાં વિશેષ ८७ अथपापकर्म हेतुर्यवसायो भवति पुरुषकार इति । बहुकीनिमित्त पुनरव्यवसायो दैवमिति । વિશિ
SR No.006002
Book TitleUpdesh Rahasya
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Jain Sangh
Publication Year1983
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy