SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશરહસ્ય ગાથા—૫૦ तुपुरुषकाराश्रयतयेश्वरसिद्ध्यापत्तिः, तद्धेतुकर्माश्रयतयाऽपि पुरुषान्तरसिद्ध्यापत्तेः, संबंधविशेषेण शक्तिविशेषेण वा जीवगतकर्मणा एव सकलकार्योपपत्तौ त्वन्यत्राप्येवं सुवचत्वादित्यन्यत्र विस्तरः ॥ ५० ॥ ૧૧૦ તાત્પર્યા :-કર્મ વાદીઓની માન્યતા એવી છે કે સ્વાત્પાદક હેતુથી વિશિષ્ટ શક્તિયુક્ત ઉત્પન્ન થનાર કર્મ પરિણામની પરપરા પાતે જે આશ્રય (આત્મ)માં ઉત્પન્ન થઈ છે તે જ આશ્રયમાં અપૃથભાવે અમુક ચાકકસ પ્રકારના ફળને જન્મ આપે છે. તેના પ્રતિપક્ષરૂપે પુરુષાર્થવાદીઓ પણ કહી શકે છે કે આત્માના પુરૂષાર્થની પર‘પરા કર્મની જેમ જ તે તે આત્મામાં અમુક ચોકકસ પ્રકારના કર્મને જન્મ આપે છે એમ માનવામાં કોઇ દોષ નથી. કારણ કે પૂર્વ પૂર્વકાળના પુરૂષાર્થથી ઉત્પન્ન થતા ઉત્તર ઉત્તર પુરૂષાર્થોમાં વિશિષ્ટ પ્રકારની શક્તિનું આધાન થાય છે અને તેનાથી અમુક ચાકકસ પ્રકારનુ ફળ ઉદ્ભવી શકે છે. [પુરુષાવાદમાં અન્ય કારણાની કારણતાના વિલયની શકા] શ‘કા :– વિલક્ષણ શક્તિ દ્વારા પૂર્વોક્ત રીતે પુરુષાર્થને તે તે ફળ પ્રત્યે કારણ માનવામાં આવે તેા તેના અર્થ એ થયા કે અમુક શક્તિથી અમુક પુરુષાર્થ અમુક ફળના ઉત્પાદક છે, જ્યારે અન્ય પુરુષાર્થ અન્ય શક્તિથી અન્ય ફળના ઉત્પાદક છે. આમ તે તે પુરુષાર્થ અને તે તે ફળ વચ્ચે વ્યક્તિગત કાર્ય કારણ ભાવના સ્વીકાર થાય છે. પરંતુ એમાં પુરુષાર્થ અને ફળ વચ્ચે સામાન્યતઃ કાર્ય કારણભાવ માનવાની આવશ્યકતા ન રહેવાથી તેના વિલય થઇ જવાની આપત્તિ આવશે. વળી, વિશિષ્ટશક્તિની પુરુષાર્થમાં કલ્પના કરીને તેના દ્વારા કાર્ય કારણભાવની જે રીતે ઉપપત્તિ કરવામાં આવી છે એ રીતે ઉદાસીન (નિષ્ક્રિય) પદાર્થ માં પણ વિશિષ્ટશક્તિની કલ્પના કરીને કાર્ય કારણભાવની કલ્પના કરી શકાય છે, જેથી કારણરૂપે અનભિપ્રેત ઉદાસીન પદાર્થોથી પણ કાર્યાત્પત્તિ થવાના દોષ સાવકાશ છે. વળી, જે રીતે વિશિષ્ટ શક્તિ દ્વારા કાર્યકારણભાવની કલ્પના કરવામાં આવી છે તે જ રીતે એક એવા પણ કાર્ય કારણભાવ કલ્પી શકાય છે કે તે તે ક્ષણમાં ઉદ્દભવતા કાર્યમાં તે તે ક્ષણ જ હેતુ છે કારણ કે અન્ય સામગ્રી પૂર્વક્ષણામાં વિદ્યમાન હોવા છતાં પણ કાર્યાત્પત્તિ તે તે ક્ષણમાં જ થાય છે.—“તત્ ક્ષણુ તે ક્ષણમાં ઉભતા સર્વકાર્યા પ્રત્યે સાધારણ હોવાથી ત‘તુમાં ઘટોત્પત્તિ અને માટીમાં પટાત્પત્તિની” શંકાને અત્રે સ્થાન નથી, કારણ કે જે આશ્રયમાં કા ઉત્પન્ન થાય છે તે આશ્રય પણ તે કાર્યમાં હેતુભૂત છે. આ રીતે માનવામાં કાઇ અતિપ્રસ’ગ ન હાવાથી તત્ ક્ષણ અને આશ્રય સિવાયના બાકીના બધા જ કારણાની કારણુતાના વિલય થવાના દોષ પુરુષાર્થવાદીના મતમાં પ્રસક્ત થાય છે. [કવાદમાં સમાન દોષની આપત્તિ સમાધાન :- જે દોષારોપણ કર્મવાદી તરફથી પુરુષાર્થવાદી પર કરવામાં આવ્યુ છે તે બધું જ કર્મવાદી પર પણ સમાન છે. કારણ કે કર્મવાદીએ પણ પૂર્વે કહ્યુ છે કે ભિન્ન ભિન્ન ફળ ભિન્નભિન્ન શક્તિવાળા ધ્રુવથી ઉદ્ભવે છે. એટલે વિલક્ષણ શક્તિથી દૈવને હેતુ માનવામાં સામાન્યતઃ ધ્રુવ અને ફળ વચ્ચે કાર્ય કારણભાવના ભંગ વગેરે દાષા પ્રસક્ત થવામાં કાઈ ખાધક નથી. જો તેના બચાવમાં કહેવામાં આવે કે. વ્યવહાર દષ્ટિથી પ્રત્યેક જન્યભાવમાં સામાન્યરૂપે એટલે કે કત્વ ધર્મ પુરસ્કારણ કહેતુ છે. જેવી જેવી અન્ય સામગ્રીનેા સહકાર
SR No.006002
Book TitleUpdesh Rahasya
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Jain Sangh
Publication Year1983
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy