SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશ ૧૨-ભાવાજ્ઞાની તાત્વિક અનુભૂતિ कह एस पुरा चत्तो ? णो चत्तो तेण णिच्चमुत्तेण । નાવિત્તિ વિ તુ નેળ fuછો જરા શ્લેકાથ-(પ્રશ્ન) ભૂતકાળમાં પૂર્વોક્ત સ્વભાવ ત્યજાયેલ કેમ હોય છે? (ઉત્તર) નિત્યમુક્ત એવા આત્માએ પૂર્વોક્ત સ્વભાવ ત્યજી જ નથી. નિશ્ચયનયની દષ્ટિએ ક્રમશઃ અજ્ઞાનનો ભિન્નભિન્નમાત્રામાં વિલય થાય છે. મારા ___ कथमेषः-मार्गप्रवृत्तिस्वभावः पुरा मिथ्यादृष्ट्यादिदशायाम् त्यक्तः ? स्वभावत्यागे स्वभाववतोऽवस्थानानुपपत्तेः । समाधत्तेन त्यक्तः तेन आत्मनाऽधिकृत. स्वभावः, कीदृशेन नित्यमुक्तेन= सदा परद्रव्य पथ भूतटंकोत्कीर्णस्वभाववता, बहिर्वृत्त्या परद्रव्यसंबंधेऽप्यंतर्वृत्त्या पुष्करपत्रवत्तस्य सर्वदा निलेपत्वात् । कथं तर्हि गुणस्थानक्रमव्यवस्था, कथं वा मुक्त्यर्थ प्रवृत्तिः प्राप्तस्य प्राप्त्ययोगात् ? इत्यत्राह-चित्रं-प्रातिस्विकगुणस्थाननियतम् , अज्ञानविल्यमानं तु क्रमेणगुणस्थानारोहानुक्रमेण निश्चयतो=ज्ञाननयमवलंब्येप्यते, मृदुमध्याधिमात्राज्ञानविशेषनाशादेव तत् क्रमोपपत्तेः, अन्यथा तन्मूलकमिथ्यात्वादिपरिणामनाशक्रियानुपपत्तेः। विरत्यादीनां तु गुणानां ज्ञानकाष्ठारूपत्वेनाभिव्यङ्यत्वमेव, मुक्त्यर्थ प्रवृत्तिस्तु कंठगतचामीकरन्यायेनानवाप्तत्वज्ञानादेव । न चैवं सम्यादृष्टेस्तदनुपपत्तिः, मुक्तिभवसाम्यपरिणतज्ञानादेव तदाहि तवासनानिवृत्तेः तदर्थमेव च प्राक् प्रवृत्त्युपयोगात् । न चैवं ज्ञाननयाबलंबनमन्याय्यम् , सर्वनयात्मके भगवत्प्रवचने यथोपयोगमधिकृतनयावलंबनस्याऽदुष्टत्वात् , विपश्चितं चेदं [स्याद्वाद] कल्पलतायाम् ॥४२॥ તાત્પર્યાર્થ–પ્રશ્રકારનું તાત્પર્ય એ છે કે અનાદિકાલીન મિથ્યાદષ્ટિ અવસ્થામાં માર્ગ પ્રવૃત્તિરૂપ સ્વભાવ કયાં ચાલ્યા ગયે હતું ? મિથ્યાદષ્ટિ અવસ્થામાં તેને અભાવ માનવામાં આવે તો જીવનું જ અસ્તિત્વ જોખમાઈ જાય, કારણ કે સ્વભાવ નથી અને સ્વભાવને આશ્રય વિદ્યમાન છે એમ કહેવાને કઈ અર્થ જ નથી. કારણ કે સ્વભાવની ગેરહાજરીમાં • સ્વભાવવાનું પણ ન જ હોય. [૨નત્રય સ્વભાવ ભૂતકાળમાં પણ વિદ્યમાન]. આ શંકાનું સમાધાન એ છે કે આત્મા નિત્યમુક્ત હોવાથી અનાદિકાળથી જ્ઞાન દર્શને ચારિત્ર રૂપ રવભાવ અસ્તિત્વમાં જ છે, તેને ત્યાગ આત્માએ ક્યારેય કર્યો જ નથી. નિત્યમુક્ત કહેવાનું તાત્પર્ય એ છે કે જેમ પત્થર ટાંકણુથી એકવાર અમુક આકારમાં કોતરાઈ ગયા બાદ તે આકારરૂપ સ્વભાવ જ્યાંસુધી પત્થર હોય ત્યાંસુધી અવસ્થિત રહે છે. કદાચ તેના ઉપર અન્ય દ્રવ્ય રૂપ ચુનાના થર જામી જવાથી ઢંકાઈ જાય તે પણ પિતે પર દ્રવ્ય ચુનાથી અલગ હોવાથી તે સદા તે આકારમાં અવસ્થિત જ હોય છે. તેવી જ રીતે આત્મા પણ અનાદિકાળથી જ્ઞાનદર્શનચારિત્ર રૂપ સ્વભાવના આકારમાં અવસ્થિત જ હોય છે. કર્મ રૂપ પર દ્રવ્યના સંપર્કથી ઉપર ઉપરથી બાહ્યદષ્ટિએ લેપાયેલ ભાસવા છતાં પણ ઊંડાણથી તપાસીએ તે સર્વથા કમળપત્રવત્ નિર્લેપ જ છે. જેમ કમળની પાંખડીઓ જળના સંપર્કથી ભીંજાતી નથી તે જ રીતે આત્મા પણ કર્મના સંબંધથી લેપતે નથી.
SR No.006002
Book TitleUpdesh Rahasya
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Jain Sangh
Publication Year1983
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy