SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશ–૮ દ્રવ્યાજ્ઞાનું મહત્વ અપરંપાર છે. [બીજાધાન ભાવસંપત્તિનું દ્વાર બને છે.] દ્રવ્યાજ્ઞા ઉપરોક્ત રીતે ભાવમાં પરિણમી કારણ ન હોવા છતાં પણ બીજાધાનથી વિશુદ્ધ દ્રવ્યાજ્ઞા શુદ્ધ ભાવમાં નિમિત્ત કારણ હોઈ શકે છે. તેથી નિમિત્ત કારણરૂપ દ્રવ્યાજ્ઞા દ્વારા ભાવાજ્ઞાને ઉત્કર્ષ થે યુક્તિયુક્ત જ છે યુક્તિ એ છે કે દ્રવ્યાજ્ઞા દ્વારા બીજાધાન થાય છે અને અંતે વિશેષ પ્રકારની ભાવવ્યક્તિ રૂ૫ અતિશયને અવશ્ય ઉત્પન્ન કરે છે. જ્યાં સુધી દ્રવ્યાજ્ઞામાં ઉત્કૃષ્ટફળ અજનકતા રૂપ નિષ્કિયતા છે તે ખંખેરાઈ જાય નહિ ત્યાં સુધી ઉત્કૃષ્ટફળજનકતા રૂપ સક્રિયતા પણ અશક્ય હોવાથી ભાવાજ્ઞા સ્વરૂપ ઉત્કર્ષ પ્રાપ્ત કરવા માટે દ્રવ્યાજ્ઞાને પણ ઉત્કૃષ્ટતાની શ્રેણીમાં આવવું પડે છે. કાર્યના ઉત્કર્ષમાં કારણને ઉત્કર્ષ હેતુભૂત હોવાથી જ વિશિષ્ટ પ્રકારના ઘટ વગેરે ઉત્પન્ન કરવા માટે વિશિષ્ટ પ્રકારની દંડ આદિ સામગ્રી પણ ઈચ્છવામાં આવે છે. કારણકે, પ્રત્યેક કારણ સક્રિયપણે જ ફળજનક બને છે. સારાંશ એ છે કે ઉત્કૃષ્ટફળજનતા રૂપ વિશેષથી વિશિષ્ટ દ્રવ્યાજ્ઞા ઉત્કૃષ્ટભાવાજ્ઞાસંપાદનમાં નિમિત્ત છે. અથવા બીજનું આધાન એજ દ્રવ્યાજ્ઞામાં વિશેષ રૂપ છે કારણ કે બીજાધાન રૂપ વિશેષથી વિશિષ્ટ દ્રવ્યક્રિયા જ શુદ્ધભાવમાં હેતુ છે. માત્ર ક્રિયા શુદ્ધ ભાવમાં હેતુ નથી. વિશિષ્ટ પ્રકારની ક્રિયાની ઉત્પત્તિ પણ ભાવ વિના થતી નથી. કારણકે અમુક ક્રિયા વિશિષ્ટ પ્રકારની છે એ વ્યવહાર પણ તે ક્રિયા ભાવપૂર્વકની હોવાથી જ થાય છે. તાત્પર્ય એ છે કે સામાન્ય ક્રિયાથી સામાન્ય ભાવપ્રાપ્ત થાય છે, સામાન્ય ભાવથી ક્રિયા વિશુદ્ધ બને છે, વિશુદ્ધ બનેલી તે ક્રિયાથી વળી વિશુદ્ધ કેટીના ભાવ ઉત્પન્ન થાય છે. અન્ય ગ્રંથોમાં આ વિષયને વધુ વિસ્તાર કર્યો છે. જેરા __बीजाधानेनैव द्रव्याज्ञाया भावाज्ञाजननयोग्यत्वमित्युक्तम्, अतो बीजाधानस्वरूपमेव निरूपयति પૂર્વ શ્લેકમાં બીજાધાનના માધ્યમેજ દ્રવ્યાજ્ઞા ભાવાજ્ઞા ઉત્પન્ન કરવામાં ગ્ય છે એમ દર્શાવ્યું, તેમાં બીજાધાનનું સ્વરૂપ આ પ્રમાણે છે – बीआहाणं इहई भावाणाए उ होइ बहुमाणो । તાવિ કથા વ્યથો વિ જુમો ૨૮. શ્લેકાર્થ –પ્રસ્તુતમાં બીજાધાન એટલે ભાવાણામાં બહુમાન હોવું. અર્થાત્ ભાવાજ્ઞાના કારણભૂત દ્રવ્યાજ્ઞાનું પણ બહુમાન હોવું. કારણ કે દ્રવ્યસ્તવ પણ સત્ પુરુષને અભિમત છે.” ૨૮ बीजाधानम् 'इहई'ति अत्र प्रक्रमे, भावाज्ञायास्तु, तुरेवकारार्थः, भावाज्ञाया एव भवति बहुमानः=उपादेयत्वज्ञानरूपश्रद्धाजनितः प्रमोदोऽनुमोदनाख्यः, शालिमुद्गादिबीजवपनं विना सुवष्टेरपि क्षेत्रे शस्यस्येव एनं विना हेतुसहस्रादप्यात्मनि धर्मोत्पत्तेरयोगात् , यदाह-[उपदेशपदे] ५°अकए बीजक्खेवे जहा सुवासे वि न भवई सस्सं । तह धम्मबीयविरहे न सुस्समाए वि तस्सस्सं ॥२२४॥ ५० अकृते बीजक्षेपे यथा सुवर्षायामपि न भवति शस्यम् । तथा धर्मबीजविरहे न सुषमायामपि तत्सस्यम् ॥
SR No.006002
Book TitleUpdesh Rahasya
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Jain Sangh
Publication Year1983
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy