________________
દુનિયાના સર્વ ધર્મો એક છે. ૧૭ “સમસ્ત પૃથ્વી બ્રગ્રસ્ત છે અને આ ભ્રમ તેને નાશ કરે છે. કોઈ વેદનું પ્રમાણ આપે છે તે કોઈ કુરાનનું કોઈ ધર્મની વાત કરે છે તે કઈ નરકની. આ સર્વ ભિન્ન ભિન્ન માર્ગોમાં કશોયે ફરક નથી. આત્મા માટે
સ્ત્રી અને પુરુષ અને સમાન છે. બધાની કાયા એક જ માટીની બનેલી છે. સૌમાં એક જ આત્મા વિલસે છે. આ દેહને વિલય થવાથી ઉપર ઉપરની આકૃતિઓને ભેદ ટળી જાય છે. અણસમજુ ખરા માર્ગને ભૂલ્યા છે. મનુષ્યમાત્ર એક છે. સર્વને એક જ પ્રકારની ચામડી છે. સર્વનાં હાડકાં એકસરખાં છે, એક જ જાતનાં મળમૂત્ર, એક જ સરખું લોહી અને એક જ જાતનું માંસ. એક જ પ્રકારના વીર્યથી સર્વ ઉત્પન્ન થયા છે. નથી કોઈ બ્રાહ્મણ કે નથી કે શ. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રણે આત્માની ત્રણ અવસ્થાઓનાં નામ છે. રજોગુણ એટલે પ્રવૃત્તિ, સત્વગુણ એટલે શાંતિ અને તમગુણ એટલે આળસ. કબીર કહે છે કે સૌએ ઈશ્વરમાં મન પરોવવું જોઈએ. નથી કોઈ હિન્દુ, નથી કોઈ મુસલમાન. આ સર્વ ભેદ ખોટા છે.”
બ્રાહ્ય રીતરિવાજોની ગૌણતા દર્શાવતાં કબીર સાહેબ કહે છે?
मरि हो रे तन का ले करिहो,
प्राण छुटे बाहर ले डरिहो, काया बिगुरचनि अनिबनि भांति,
हिन्दू जार, तुरुक लै गाउँ,
यहि बिधि अन्त दुनों घर छाडॅ. ।।