________________
ગીતા અને કાન “અરે ભાઈએ ! જ્યારે મનુષ્ય મરી જાય છે ત્યારે તેના દેહનું શું કરો છો? પ્રાણ નીકળી જતાં તેને બહાર કાઢે છે. કાયા નિપ્રાણ થતાં તેની સાથે મનુષ્ય નિરનિરાળી રીતે વર્તન રાખે છે. કેઈ તેને બાળે છે તે કઈ તેને દાટે છે. હિંદુ તેને બાળે છે જ્યારે મુસલમાન તેને દાટે છે. વ્યવહાર એકસરખે છે. છેવટે બને આ શરીરને છેડી ચાલ્યા જાય છે.”
हिन्दु कहे मोहे राम पियारा तुरुक कहे रहिमाना, आपसमें दो लरि लरि मूओ, मरम काहु नहीं जाना.
“હિંદુ કહે છે કે અમને રામનામ વહાલું છે જ્યારે મુસલમાનને રહેમાન નામ પ્યારું છે. બંને એકબીજા સાથે લડી મરે છે, કેઈએના ભેદને પામતે નથી.”
ન્યાતજાત અને સ્પૃશ્યતાઅસ્પૃશ્યતાને નિસાર બતાવતાં કબીર સાહેબે કહ્યું છેઃ
गुपत प्रकट अकै मूद्रा, का को कहिये बाम्हन सूद्रा, झूटे गर्व भुलो मत कोी, हिन्दू तुरुक झूठ कुल दोजी.
“સર્વનાં અંદર બહાર એકસરખાં છે, શા માટે કેઈને બ્રાહ્મણ કે શૂદ્ધ કહીએ? ન્યાતજાતને આ અહંકાર મિથ્યા છે. આ વાત પણ ખોટી છે કે હિંદુ તથા મુસલમાન જુદાં જુદાં કુળો છે. મનુષ્ય સર્વ સમાન છે.”
દાદુનાં વચનેમાં પણ આવા જ શબ્દચિત્રો છે. ડાંક ઉદાહરણે લઈએ. દાદુ સાહેબ કહે છેઃ