________________
ગીતા અને કુરાન વિચારી તથા સમજી શકાય છે. આ સર્વેમાં મૂળભૂત વિચાર છે-એક ઈશ્વર હોવાને. ગીતા અને કુરાન એના
અસ્તિત્વની જીવતી જાગતી છબી પોતાના પાઠકે સમક્ષ રજૂ કરે છે. જે સૃષ્ટિનો સટ્ટા તથા નિયંતા એક જ છે અને એના સિવાય બીજી કોઈ શક્તિ નથી, તે એની સૃષ્ટિનાં પ્રાણીઓમાં દ્વેષ, કોધ, લડાઈઝઘડાનાં તેફાને શા સારુ? શું આ સંઘર્ષો એવું સાબિત નથી કરતા કે એક ઈશ્વરને માનવાવાળા ખરા અંતઃકરણથી અને વિશ્વાસપૂર્વક તેવું માનતા નથી હોતા અને છતાંયે તેઓ પોતાને એક પ્રભુને માનનારા તથા એક જ ઈશ્વરને ભજનારા કહેવડાવે છે, અને પ્રભુમાર્ગ ઉપર ચાલવાને દા કરે છે? દરેક દેશમાં તથા કાળમાં જે પુરુષે ખરેખર આત્મપ્રકાશ તથા આત્મબળ ધરાવે છે અને જેઓ સાધુ, સંત, ફકીર, સૂફી કહેવાય છે તેઓ સમાજની આવી હાલત જોઈ શકતા નથી. એક ઈશ્વરમાં માનવાવાળા પોતાના જીવનવ્યવહારમાં ઈશ્વરના આદેશનું ઉલ્લંઘન કરે અને ઊલટું જ વર્તન રાખે ને દુઃખ ભેગવે તે સ્થિતિને આ મહાત્માઓ ચલાવી લઈ શકતા નથી. આ માટે જ દરેક સમાજમાં અને દરેક દેશમાં ધર્મમાં પ્રવર્તતા આ રાજરેગને દૂર કરવા માટે અવતારે, પયગંબર તથા તીર્થંકરે જેવા અને એમને મળતા આવતા મહાત્માઓ, આત્મશક્તિધારીઓ જન્મ છે કે જેઓ માનવસમાજને પ્રભુ તથા સ-ધર્મ તરફ લઈ જવાના અથાક પ્રયત્ન કરતા રહે છે. આ પ્રયાસોથી રાજરેગ દૂર થાય કે ન થાય પરંતુ આવા મહાત્માઓ જનસમાજના પ્રગતિ – ઉન્નતિકાર્યમાં નવચેતન રેડે છે.