________________
દુનિયાના સર્વ ધર્મો એક છે
પ૧ પુરુષ ઈન્દ્રિોને તેમના વિષયમાંથી સમેટી લે છે ત્યારે તેની બુદ્ધિ સ્થિર થઈ છે એમ કહેવાય”(૨–૫૭,૫૮),
ગીતામાં જેને સ્થિતપ્રજ્ઞ (સ્થિર બુદ્ધિવાળો) કહેવામાં આવે છે તેને કુરાનમાં તથા મુસલમાનના બીજા ગ્રંથમાં “સલીમ અકલરવાળે અથવા તે “સલીમ કલ્બવાળે, અથવા “કબે મુતમઈ” અથવા “નફસે મુતમઈન્ના” કહેવા છે. “સલીમનો અર્થ છે સિદ્ધ અને “મુતમઈનાને અર્થ છે સ્થિર, અકલ”નો અર્થ છે પ્રજ્ઞા કે બુદ્ધિ, “કબ ને અર્થ છે અંતર કે મન અને નક્સને અર્થ છે ઈદ્રિય.
કુરાનમાં ઠેર ઠેર તે માણસની પ્રશંસા કરવામાં આવી છે કે જેનું મન (કબ) સ્થિર (સલીમ) હોય છે (રાદ – ૨૮; સાફાત – ૮૪). મહંમદ પયગંબર સાહેબે એક ઠેકાણે ઉપદેશ્ય છેઃ
તે જ મનુષ્યનું શ્રેય થશે કે જેના અંતરને અલ્લાહ વિશ્વાસ માટે પવિત્ર બનાવ્યું છે, જેના મનને સ્થિર, જેની વાચાને સાચી, જેની દકિયોને ભરોસાપાત્ર, જેની નિવૃત્તિઓને અટલ, કાનને સાંભળવા એગ્ય અને આંખને જોવા લાયક બનાવ્યાં હોય” (બુલ ઈમાન).
સલીમ શબ્દનું વિવરણ કરતાં એક મુસ્લિમ વિદ્વાન લખે છેઃ
“મનુષ્યના અંતર ઉપર જ્યારે દુનિયાની ઈચ્છાઓની, સુખની કે દુઃખેની અસર નથી થતી ત્યારે તે સ્થિર બને છે.”