________________
ગીતા અને કુરાન ઈસ્લામમાં ક્રોધને વચ્ચે ગણો છે અને શુદ્ધ હાલતમાં કેઈ પણ ભલું કે બૂરું કામ કરવાની મનાઈ છે. આના દષ્ટાંતરૂપે હજરત અલીના જીવનમાં એક ખાસ પ્રસંગ આવે છે. એક યુદ્ધમાં તેમને શત્રુ પરાજિત થયે; તેઓ એની છાતી ઉપર ચડી બેઠા અને તલવાર કાઢીને તેને મારવાની તૈયારીમાં હતા એટલામાં પલે માણસ તેમના મોઢા ઉપર થેંકયો. તત્કાલ હજરત અલીએ તલવાર હાથમાંથી ફેંકી દીધી અને કહ્યું કે, “હવે હું તને નહીં મારું.” આટલું બોલીને તેઓ તેની છાતી ઉપરથી ઊઠી ગયા. પિલા માણસે ચકિત થઈ પૂછ્યું, “આપે મને કેમ જાતે કર્યો?” હજરત અલીએ જવાબ આપ્યો, “હું ઈશ્વરને નામે લડી રહ્યો હતે, મારે માટે નહીં. તું જ્યારે મારા મેં ઉપર થેંક્યો ત્યારે મને ક્રોધ વ્યાપ્યો હતો અને ક્રોધ એ વજર્ય છે. ગુસ્સામાં આવીને કઈ કામ કરવું પાપ છે.”
પિતાની ઇન્દ્રિયને વશ કરવા માટે અનેક તપ સૂચવાયાં છે. આ તપના પ્રકાર પણ ગીતા તથા કુરાનમાં એક સરખા વર્ણવાયા છે. પરંતુ આપણે આની વિગતેમાં નહીં ઊતરીએ. ઇંદ્રિયની સાથે સાથે પોતાના વિચારો તથા બુદ્ધિ ઉપર કાબૂ મેળવે અને તેને શાંત તથા સ્થિર રાખવાનું કાર્ય એ પણ આ જ માર્ગની એક ઉચ્ચ શ્રેણી છે. ગીતામાં કહેવાયું છેઃ
“બધે રાગરહિત રહીને જે પુરુષ શુભ અથવા અશુભ પામીને નથી હરખાતે કે નથી શેક કરતા તેની બુદ્ધિ સ્થિર છે. કાચબો જેમ સર્વ કારથી અંગે સમેટી લે છે તેમ જ્યારે આ