________________
દુનિયાના સર્વ ધર્મો એક છે
૪૯ આ જ પ્રમાણે કુરાનમાં તે માનવીઓને
કે જે પિતાના ક્રોધને પી જાય છે તથા માફી બક્ષે છે” તેમને ખાસ કરીને “અલ્લાના પ્યારા” કહેવામાં આવ્યા છે (આલ અમરાન–૧૩૩). ગીતામાં લખવામાં આવ્યું છે કેઃ
નરકનાં ત્રણ દ્વાર છે – કામ, ધ અને લેભ. આ ત્રણેથી બચવું જોઈએ. આ ત્રણે આત્માને નાશ કરનારા છે” (૧૬–૨૧).
કુરાનમાં ઈચ્છા અથવા વાસના માટે કેટલેક ઠેકાણે હવા” શબ્દ વપરાય છે અને તેથી બચવાનું વારંવાર કહેવાયું છે. કુરાનમાં “હાવિયા” એ એક નરકનું નામ છે (અલકારિયા-૯). “આ તે માણસનું ઠેકાણું ગણાય છે જેનું ભલાઈનું પલ્લું હલકું અને બૂરાઈનું ભારે હોય છે” (અલકારિયા). . . બૂ અલી શાહ કલન્દરે લખ્યું છેઃ
___ "मर्द वायद ता निहद बर नफ्स पा
बगुज़रद अज़ शहवतो हिरों हवा"
તે મનુષ્ય ખરો છે જે પિતાના કામ, ક્રોધ અને લોભને જીતી લે છે.” મૌલાના રૂમ કહે છેઃ
“खश्मो शहवत मर्द रा अहवल कुनद
શિસ્તofમત મર્દ કરું ન”
ક્રોધ અને કામ મનુષ્યને અંધ બનાવે છે અને તેને તેના સાચા માર્ગથી અવળે લઈ જાય છે.”
ગી.-૪