________________
૮
ગીતા અને કુરાન "आफ़ते जींदर हवाओ शहवत अस्त
वरना ओंजा शरबत अन्दर शरबत अस्त ॥”
સારી આફત ઈચ્છામાં તથા કામવાસનામાં છે, નહીં તે આ દુનિયામાં શરબત જ શરબત ભર્યું છે.”
મનુષ્યને પિતાની મરજી વિરુદ્ધ કઈ વસ્તુ પાપ કરાવે છે?” (૩,૩૬) અર્જુનના આ પ્રશ્નને ઉત્તર શ્રીકૃષ્ણ આ રીતે આપે છેઃ
“રજોગુણથી ઉત્પન્ન થયેલ એ (પ્રેરક) કામ છે, ક્રોધ છે, એનું પેટ જ ભરાતું નથી. એ મહાપાપી છે. એને આ લેકમાં શત્રુરૂપ સમજ” (૩, ૩૭).
કામક્રોધને કાબૂમાં લાવવાનો માર્ગ ? આ માર્ગ પણ ગીતા તથા કુરાનમાં એકસરખે જ દર્શાવવામાં આવ્યા છે. પિતાની પ્રક્રિયાને વશ કરવી એ જ માર્ગ છે.
પિતાની ઈદ્રિયને વશ કરવા માટે ઠેર ઠેર ભારપૂર્વક કહેવામાં આવ્યું છે. ગીતા કહે છેઃ
તેની મતિ શુદ્ધ અથવા સ્થિર રહી શકે છે જેણે પિોતાની ઈદ્રિ ઉપર કાબૂ મેળવ્યો છે” (૨, ૬૧). કુરાનમાં કહેવાયું છેઃ - “અલ્લાહ ઈચ્છે છે કે તમારા ઉપર દયા કરે પરંતુ જેઓ વાસનાઓની પાછળ પડ્યા છે તેઓ ઈચ્છે છે કે તમે પ્રભુમાર્ગથી ઊલટે રસ્તે ભમતા થાઓ” (નસાય–૭).
જે વાસનામાં રપચ્યો રહેતા હોય તેના કરતાં વધારે ભૂલેલે ભટકેલે માણસ બીજો કોણ હેઈ શકે ?” (કેસસ–પ૦ )