________________
દુનિયાના સર્વ ધર્મો એક છે સુધીમાં તેની માલમિલકતની દેખરેખ રાખવા માગતા હે. જે વસ્તુ ભરે તે પૂરી ભરે, ને તોલે તે બરાબર તોલે. અમે (અલ્લાહ) કોઈને એવું કામ નથી સંપતા જે તે ન કરી શકે; જ્યારે વાણું વદ ત્યારે તે સાચી બેલે, ભલેને તે પિતાનાં સગાંસંબંધીની વિરુદ્ધ જતી હોય; અલ્લાહ તમને જે કહ્યું છે તેનું પાલન કરે. એણે આ સર્વ કરવાને હુકમ આપ્યો છે; તમે તેને સારી પેઠે ધ્યાનમાં રાખે.”
આ જ મારો (અલ્લાહનો માર્ગ છે; આ જ સન્માર્ગ છે; એના ઉપર ચાલે. બીજા બીજા રસ્તાઓ ઉપર ન ચાલે, કારણ કે તે તમને અલ્લાહના માર્ગેથી દૂર લઈ જશે. આ જ અલ્લાહનો આદેશ છે, કે જેથી તમે દુષ્ટતાથી બચી શકે ” (અનઆમ–૧૫ર થી ૧૫૪).
હે ધર્માવલંબીઓ ! અલ્લાહને ખાતર સીધા સરળ તથા સત્ય ને ન્યાયને માટે સાક્ષી દેનારા બને. જે તમારે કોઈની સાથે દુશ્મનાવટ હોય તો તે કારણે કેઈને અન્યાય થાય તેવું કૃત્ય ન કરે; ન્યાયથી વર્તે; આ જ વસ્તુ પવિત્રતાની બહુ સમીપ છે; અલ્લાહના આદેશનું હરહમેશ ધ્યાન રાખે; ખરેખર અલ્લાહ જાણે છે કે તમે શું શું કરે છે” (માયદા-૮).
- “અમે (અલ્લાહે) લોકોને બે સ્પષ્ટ માર્ગે (ભલાઈન તથા બૂરાઈના) દાખવી દીધા છે. પરંતુ માણસ ચડાણુના માર્ગથી બચવા ચાહે છે. શું તમે જાણે છે કે આ ચડાણને માર્ગ કર્યો છે? તે રસ્તે આ છે– કઈ ગુલામને બંધનમુક્ત કરવો, અને કોઈ ભૂખ્યા અનાથ સગાને અથવા તો ધૂળમાં લોટતા કઈ પણ ગરીબ માણસને ભોજન આપવું. જે આવું કર્મ કરે છે તે ધર્મનું પાલન કરનાર વર્ગને છે. જેઓ એકબીજાને ધીરજ ધરવાની, અન્ય ઉપર દયા બતાવવાની સલાહ આપે છે તે જ લેકે જમણે હાથના સીધે રસ્તે જનારા છે;