________________
દુનિયાના સર્વ ધર્મો એક છે
૩૫ હું પહેલાં માટી પથ્થરના રૂપમાં હતો ત્યાંથી મૃત્યુ પામી હું વનસ્પતિની નિમાં આવ્યા. એ નિ બદલાવીને હું જાનવર બન્ય; જાનવર મટીને હું મનુષ્ય થયા. આ કારણે મને મરણને શે ડર છે? મરવાથી હું કદીયે નીચે ઊતરતું નથી. આ વેળા જ્યારે હું મરી જઈશ ત્યારે હું દેવલેકને એક દેવ બનીશ અને દેવ મટી જઈશ ત્યારે હું તેથી ઊંચી કક્ષાએ પહોંચીશ જેની હું કલપના કરી શકતો નથી.”
અવતારે, પયગંબર સર્વ ભાષાઓમાં, યુગમાં જનતાને ધર્મને માર્ગ બતાવવા માટે પૃથ્વી ઉપર અવતરે છે. આ જ વિચારને ગીતા તથા કુરાન પિતપોતાની રીતે પ્રકટ કરે છે. શ્રીકૃષ્ણ ગીતામાં કહે છે :
“જ્યારે જ્યારે ધર્મની પડતી થાય છે, અને અધર્મની ચડતી થાય છે ત્યારે ત્યારે હું નિશ્ચિતપણે સાધુઓના રક્ષણ સારુ, દુષ્ટોના નાશ માટે તથા ધર્મની પુનઃ સ્થાપના કરાવવા કાજે જન્મ ધારણ કરતો રહું છું” (૪, ૭-૮). કુરાનમાં કહેવાયું છે :
દરેક પ્રજામાં પયગંબર અને ધર્મને માર્ગ દેખાડનારા થયા કર્યા છે” (“નસ-૪૭ તથા રાદ-૭).
અને જે પયગંબર જે પ્રજામાં મેકલવામાં આવે છે તેને તે પ્રજાની ભાષામાં સંદેશ આપીને મોકલવામાં આવે છે, જેથી લેકને તે સ્પષ્ટ રીતે સમજાવી શકે” (ઇબ્રાહીમ-૪).
“ અને આ પણ નિઃશંક છે કે તમારી (મહંમદ) પહેલાં પણ મેં (અલ્લાહ) દુનિયામાં પયગંબરે મોકલ્યા છે. ... દરેક યુગ માટે જુદા જુદા ગ્રંથ છે. ઈશ્વર ધારે તેને રદ કરે છે