________________
દુનિયાના સર્વ ધર્મો એક છે ગીતા કહે છે:
જે એકનિષ્ઠ ભક્તિયોગ વડે મને સેવે છે તે આ આ ગુણને વટાવીને બ્રહ્મરૂપ બનવાને યોગ્ય થાય છે.” (૧૪-૨૬)
સૂફીઓના શબ્દોમાં ઈશ્વરમય થવું એને “ફનાફિલ્લાહ કહેવાય છે.
- ઈશ્વર વિષેના વિચાર પછી આવી રીતના પ્રશ્નો પણ ઉદ્દભવે છે? સૃષ્ટિ કેવી રીતે થઈ, આત્મા શું છે, પુનર્જન્મ થાય છે કે નહીં, અવતાર કોને કહેવાય છે, તેઓ પૃથ્વી ઉપર શા સારુ આવે છે, ધર્મ શું છે અને જુદા જુદા ધર્મો શા સારુ છે વગેરે. આવી રીતના અસંખ્ય પ્રશ્નો ઊઠે છે. એના ઉત્તરમાં ગીતામાં તથા કુરાનમાં સમાયેલી મૂળભૂત એકતા સાબિત કરી શકાય છે. અમે અહીં પૂર્વકથિત સવાલેમાંના માત્ર ચાર પાંચ સવાલે જ લઈશું. સૃષ્ટિની ઉત્પત્તિ અંગે ગીતામાં ઉલ્લેખ છેઃ
ભૂતમાત્રની જન્મ પૂર્વની અને મરણ પછીની સ્થિતિ જોઈ શકાતી નથી; તે અવ્યક્ત છે, વચ્ચેની સ્થિતિ જ વ્યક્ત થાય છે. આમાં ચિંતાનું શું કારણ હોય?” (૨–૨૮) કુરાનનું જાણીતું વચન છેઃ
“અમે સૌ ઈશ્વરનાં છીએ અને એમાં જ ભળી જવાનાં છીએ” (બકરહ, ૧૫૬).
સૂફીઓએ આ વિચાર વધારે વિશદપણે દર્શાવ્યા છે. ઈસ્લામી ભાષામાં અવ્યક્તને અચિહઝ (એનિશાન અથવા અદમ) કહે છે. એક સૂફીની વાણું છેઃ
* મુફતી સૈયદ અબ્દુલ કયમ જાલંધરીએ પોતાના ગીતા અને કુરાન” નામક પુસ્તકમાં શ્રીકૃષ્ણને પોતાને ઈશ્વર કહેવાની બાબતમાં કહ્યું છે – કૃષ્ણજી માનવજીવનથી જુદા થઈને બ્રહ્મલીન સ્થાનથી બોલી રહ્યા છે જેવી રીતે કે ઇસ્લામના કેટલાક મેટેરાઓ લીનતાની હાલતમાં એવી રીતની વાણી કે જે માન્ય વચનાથી વિરુદ્ધ હોય છે તે ઉચ્ચારે છે.