________________
૩૦
ગીતા અને કુરાન કે વહદતુલવજૂદનો અર્થ એ છે કે આ સૃષ્ટિમાં જે કાંઈ દેખાય છે અથવા અસ્તિત્વ ધરાવે છે તે મૂળ રૂપે ઈશ્વર જ છે, ઈશ્વર સિવાય અન્ય કોઈ છે નહીં. આથી ઊલટું આપણે જે કાંઈ જોઈએ છીએ તે ભ્રમ-માયા-જાળ છે. આ જ વિચારને હિન્દુ વિદ્વાને “સરું ' (હું બ્રહ્મ છું) અને “સર્વ રવિંદ્ર દ્રા' (આ સર્વ બ્રહ્મમય છે) તથા મુસ્લિમ સૂફી સન ” (હું ઈશ્વર છું) અને “ઢમાં ” (સર્વ ઈશ્વરરૂપ છે) દર્શાવે છે. આથી વિરુદ્ધ દ્વૈત(વહદતુશુહૂદ)ને અર્થ એ છે કે ઈશ્વરનું અસ્તિત્વ અલગ છે અને ઈતર સર્વ ચીજો આ સૃષ્ટિમાં જોઈએ છીએ તેની હયાતી જુદી છે. આ સર્વ સરજાયું છે પ્રભુથી પણ તે સર્વ ઈશ્વરથી ભિન્ન છે. આ વિચારને મુસલમાન પંડિતે “હૃમાં યોસ્ત” “સર્વ વસ્તુ ઈશ્વરથી ઉત્પન્ન થઈ છે એ રીતે દર્શાવે છે. હિંદુઓમાં તથા મુસલમાનોમાં આ બન્ને વિચારસરણીના પંડિત મળી આવે છે. એક ખાસ વાત એ જાણવા મળે છે કે તમત તથા અદ્વૈતમતવાદી હિંદુઓ જે રીતે ગીતાને આધાર લઈ પિતપોતાનો મત પ્રતિપાદિત કરવા મથે છે તે જ રીતે મુસલમાન પંડિતે પણ કુરાનમાંથી પોતાના દૈત-અદ્વૈત મતની પુષ્ટિ પામવા પ્રયત્ન કરતા હોય છે.
અમે આની તાત્વિક ચર્ચામાં ઊતરવા માગતા નથી. અમે તે એટલું જ બતાવવા ઈચ્છીએ છીએ કે આવી સૂક્ષ્મ વાતમાં ગીતાની તથા કુરાનની સ્થિતિ એકસરખી છે, એટલે કે બંનેના વાચકો પોતાની સમજશક્તિ પ્રમાણે પિતાને ફાવત અર્થ ઘટાવી લે છે.