________________
દુનિયાના સર્વ ધર્મો એક છે
જે મને બધે જુએ છે અને બધાને મારે વિષે જુએ છે તે મારી નજર આગળથી ખસતો નથી, અને હું તેની નજર આગળથી ખસતો નથી. મારામાં લીન થયેલ જે યોગી ભૂતમાત્રને વિષે રહેલા મને ભજે છે તે ગમે તેમ વર્તતે છતાં મારે વિષે જ વર્તે છે.” (૬, ૩૦-૩૧)
ઈશુની બારમી સદીના એક જાણીતા મુસ્લિમ સૂફી મહીઉદીન ઈન અરબીએ ગાયું છેઃ
"फला तनजुर · सीललहक्के' फत अरीहे अनिल खल्के वलातनजुर ीलल खल्के वतक्सूहो सेयल हक्के."
“ તું ઈશ્વરને દુનિયાથી ભિન્ન ન દેખ અને આ દુનિયાને ઈશ્વર સિવાયની બીજી કઈ ચીજનું રૂપ ન સમજ.”
અત્યાર સુધી અમે એ પ્રતિપાદન કરવાનો પ્રયત્ન કર્યો છે કે ગીતામાં તથા કુરાનમાં ઈશ્વર ને અલ્લાહ વિષેની કલ્પના કેટલીક મળતી આવે છે. આવી જ જાતનાં બીજાં કેટલાયે ઉદાહરણે ટાંકી શકાય એમ છે પણ તેને વિસ્તાર જરૂરી નથી.
ઈશ્વરની આ કલ્પનામાંથી કૈત અને અદ્વૈત વાદ (વહદતુશુહૂદ તથા વહદતુલવજૂદ) જન્મે છે. હિંદુ શાસ્ત્રમાં જેને અદ્વૈત કહેવાયું છે. મુસ્લિમ તત્ત્વજ્ઞાનમાં તેને વહદતુલવજૂદી કહેવાય છે. એવી જ રીતે દૈતના સિદ્ધાંતને ઈસ્લામી ગ્રંથમાં “વહદહુથુહૂદ' કહેવાય છે. અદ્વૈત એટલે
* કોઈક વિદ્વાને “વહદતુશુહુદને ત” નહીં પણ “વિશિષ્ટાદ્વૈત' ગણે છે,