________________
દુનિયાના સર્વ ધર્માં એક છે
એક મુસલમાન સૂફીએ આ જ વિચારને નીચેના સુંદર શબ્દોમાં આલેખ્યા છેઃ
२७
अ दर दिले मनस्तो दिले मन बदस्ते अ, चूं आओना बदस्ते मनो मन दर आओीना . તે મારા દિલમાં છે ને મારું દિલ એના હાથમાં છે, જે રીતે દર્પણ મારા હાથમાં છે તે હું દર્પણમાં છું. એક બીજો સૂફી લખે છેઃ
गाफिल तू किधर भटके है कुछ दिलकी खबर ले, शीशा जो बगलमें है अफ़ीमें तो परी है ।
ઈશ્વરની દિવ્ય વિભૂતિઓ તથા ઈશ્વરના ‘વિરાટ રૂપ ’નું વિવિધ પ્રકારે વર્ણન ગીતામાં થયું છે. સાતમા અધ્યાયમાં શ્રીકૃષ્ણે કહ્યું છે
“ હે કૌન્તેય ! હું પાણીમાં રસ છું; સૂર્યચંદ્રમાં તેજ હું છું; સર્વ વેદોમાં ૐકાર હું છું; આકાશમાં શબ્દ હું છું; પુરુષોનું પરાક્રમ હું છું; પૃથ્વીમાં સુગંધ હું છું; અગ્નિમાં તેજ હું છું; પ્રાણીમાત્રનું જીવન હું છું; તપસ્વીનું તપ હું છું (૭, ૮-૯ ).
ગીતામાં જેને વિભૂતિએ કહેવામાં આવે છે તેને સૂફી પુસ્તકામાં ઈશ્વરનું દર્શન કહેવાય છે. ફારસી ભાષાના સૂફી પુસ્તક ‘ગુલશને રાઝ'માં લખ્યું છે
tr
“ દુનિયાની સર્વ ચીન્ને તે એક પ્રભુનાં જુદાં જુદાં દર્શને છે. ' ગીતામાં જેને વિશ્વ કે વિરાટ રૂપ ( અધ્યાય ૧૧ મા) વર્ણવવામાં આવ્યું છે તેને ઇસ્લામી ગ્રંથામાં શકલે મુહીત