________________
૨૬
ગીતા અને કુરાન “ઈશ્વર સર્વ વસ્તુઓને આવરી રહેલા છે” એ વિચારને વધારે વિશદ કરતાં એક મુસલમાન સૂફીએ કહ્યું છેઃ
काबेमें कलीसामें हमने तो जहां देखा,
अ हस्रे वफा! तेरी तामीर नज़र आश्री. ગીતામાં આ જ વિચારનું આવર્તન થાય છે ?
ઈશ્વર સર્વ પ્રાણીઓનાં અંતરમાં વસેલે છે” (૧૮-૬૧). ક્યાંક કયાંક એ ઉલ્લેખ પણ થયે છે :
ઈશ્વર ભક્તોના હૃદયમાં વસેલે છે” (૧–૧૫).
જે ભક્તિપૂર્વક મારી પૂજા કરે છે તે મારામાં રહે છે અને હું એમનામાં વસું છું” (૯-૧૯). મહંમદ સાહેબે કહ્યું છેઃ
“માનવનું હૃદય અલ્લાહ માટે રહેવાનું સ્થાને છે.” યજુર્વેદના શતપથબ્રાહ્મણમાં છેઃ
“ઈશ્વર દિલમાં રહે છે તેથી જ દિલને “હૃદય' કહેવામાં આવ્યું છે.”
મૌલાના રૂમીની મસનવી ફારસી ભાષાનું કુરાન કહેવાય છે. તે મનવીમાં મૌલાના ભાખે છેઃ
મહંમદ સાહેબે કહ્યું છે કે – અલ્લાહ ભાખે છે કે હું ઉપર કે નીચે, ધરતી ઉપર કે ઊંચે આકાશમાં કયાંય સમાઈ શકતા નથી. પણ હું શ્રદ્ધાળુ ભક્તના હૃદયમાં વાસ કરું છું. જેઓ મારી ભાળ કાઢવા ચાહે તેઓ મને ત્યાં શોધી શકશે.” શિવસ્તોત્રમાં છેઃ
ન હું કૈલાસમાં કે વૈકુંઠમાં વસું છું, મારું રહેઠાણ ભક્તોનું અંતર છે.” *मसनवी मौलवी मानवी, हस्त कुरान दरजबाने पहलवी.