________________
દુનિયાના સર્વ ધર્મો એક છે
૨૫ ઈરાનના જાણીતા સૂફી શમ્સ તબરેજ અલ્લાહને સંબોધતાં કહે છે?
“હે મારાં નેત્રનું, બુદ્ધિનું તથા પ્રાણનું તેજ ! મારા હૃદયાસન પર તું જ રાજવી છે. તારે પ્રકાશ એ છે જાણે કે લાખો ચંદ્ર તથા સૂરજ વગર આકાશે ઝળહળે છે. તું જ સ્થિર છે ને તું જ ગતિમાનેની ગતિ છે; તું જ એક રસ છે ને તું જ અનેકરૂપી છે. તું જ નીચે તથા ઉપર છે. તું જ શરીર છે ને તું જ પ્રાણ છે. . . . હકે (સત્ય – અલ્લાહે) આગ લગાડી દીધી છે. અસત્ય એમાં ભસ્મ થઈ રહ્યું છે. તે અગ્નિ દિલને ખાખ કરે છે. પ્રભુ કરે, તે આગ મારા હૃદયમાં વ્યાપી જાય.” મુંડક ઉપનિષદમાં આવે છે:
એના જ તેજથી આ સર્વ દુનિયા પ્રકાશવંત છે; એના જ ઝગમગાટથી આ સર્વ ઝળહળે છે.”
જે પ્રમાણે ગીતા તથા કુરાન ઈશ્વરને મનુષ્યની બુદ્ધિથી પર લેખે છે તે જ ભાવ એક મુસલમાન સૂફીએ દર્શાવ્યું છેઃ
खारिज अज़ अकलो क़यासो फ़हम जुमला खासो आम, दूर अज़ हद्दे कि बाशद हीत ये अज़कारे मा।
તે અમારી સૌની બુદ્ધિથી, અમારી કલ્પનાથી તથા સમજશક્તિથી પર છે આપણે જે હદ સુધી વાત કરી શકીએ તેથીયે તે પર છે. સામવેદના કેનેપનિષદમાં કહેવાયું છેઃ
ઈશ્વર જાયે જાય એમ નથી એવું જાણનાર જ જાણ કાર છે. એને જાણવાનો દાવો કરનાર સાચેસાચ એને જાણતો જ હેતે નથી; એને તેઓ જ જાણે છે કે જેઓ એને જાણવાને દાવો કરતા નથી.”