________________
ર૪
ગીતા અને કુશન ઈશ્વરને “અક્ષર” એટલે કે “નાશ ન પામનાર અને બાકીની ચીજોને “ક્ષર' “નાશ પામનાર” એવું ગીતાવાક્ય છે. (૧૫-૧૬)
કુરાને પણ તેવી જ વાત કહી છે.
સર્વ વસ્તુઓ નાશવંત છે, રહેવાવાળી એટલે અનાશવંત જાત તો માત્ર એ પરમ તથા સનાતન અલ્લાહની જ છે.” (રહમાન, ૨૬–૨૩)
ગીતામાં ઈશ્વરને “મરિન્ય” “બુદ્ધિથી પર' (૩-૪૩) અને “નિર્વનીક” એટલે કે જેનું શબ્દોમાં વર્ણન ન કરી શકાય તેવે કહ્યું છે. કુરાનનું કથન છેઃ “મનુષ્યની આંખે જેને નથી પારખી શકતી” (અનઆમ, ૧૦૪).
ઈશ્વરના બીજા અનેક ગુણેનું વિવરણ ગીતામાં કરવામાં આવ્યું છે લગભગ તેવા જ ભાવવાહી શબ્દો કુરાનમાંથી મળી આવે છે.
ઈશ્વરના ગુણોના સંબંધમાં હિંદુ તથા મુસલમાન વિદ્વાનોએ જે મંતવ્ય રજૂ કર્યા છે તે જોઈએ તે એકતાનું દર્શન વધારે સુભગ થશે. ગીતા કહે છે?
આકાશમાં હજાર સૂર્યનું તેજ એકસાથે પ્રકાશી ઊઠે તો તે તેજ તે મહાત્માના તેજ જેવું કદાચિત થાય” (૧૧-૧૨).
હે સર્વવ્યાપી વિષ્ણુ! તમારે ઉગ્ર પ્રકાશ આખા જગતને તેજ વડે ભરી મૂકે છે અને તપાવે છે”(૧૧-૩૦).