________________
દુનિયાના સર્વ ધર્મો એક છે વર્તુલ મોટું થતું જશે અને પારકાપણાને વિચાર ઘટતો તથા ક્ષીણ થતો જશે. એના હૃદયમાં એક એક કરતાં પિતાનું ગામ, નગર, પિતાને દેશ તથા વધતાં વધતાં સારીયે પૃથ્વીના માનવીઓ સાથે પોતાપણાની ભાવના પ્રકટવા તથા જામવા લાગે છે. એને બીજાઓની ભલાઈમાં પિતાનું ભલું, બીજાના પતનમાં પોતાને વિનાશ, બીજાઓનાં સુખોમાં પોતાનું સુખ, અને બીજાઓનાં દુઃખમાં પિતાનું દુઃખ દેખાવા લાગે છે. દુનિયાના સર્વે દેશના સર્વ માનવીઓની આ વાતની સમજણમાં જ દુનિયાભરની સાચી શાન્તિ અને શાશ્વત સુખને આધાર છે.
આ સમજણ માનવામાં આવતાં ઘણી વાર લાગે છે. ખાસ કરીને પ્રજાઓમાં અને દેશમાં આ વિચાર ઉત્પન્ન થવો અને તેને વિકસાવ એ બહુ અઘરું કામ છે. આ માટે જ આ ખેંચતાણ મટવા પામતી નથી અને એના ચાલુ રહેવાથી દુનિયાને ઘણાં મોટાં નુકસાન થાય છે. જ્યારે
જ્યારે આ ખેંચતાણ વધી જાય છે અને મનુષ્યોમાં અણુસમજ, સ્વાર્થ, તથા તૃષ્ણાતૃપ્તિનું જોર હોય છે ત્યારે ત્યારે અશાંતિ, અસુખ અને અવનતિ વધે છે, અને જ્યારે જ્યારે એકબીજામાં પ્રેમભાવ તથા સર્વના કલ્યાણની વૃત્તિ વધવા લાગે છે ત્યારે ત્યારે ચારે કોર શાંતિ, સુખ તથા ઉન્નતિ દેખાવા લાગે છે. દુનિયામાં પિતા પારકાને ભેદ તથા વાડાઓ જેટલે અંશે વધવા લાગે છે, તેટલા પ્રમાણમાં સમાજઆત્માના ટુકડે ટુકડા થવા લાગે છે, કજિયાઓ વધે છે, દુઃખ, ગરીબાઈ તથા બરબાદી ફાલવા લાગે છે. બીજા