________________
ગીતા અને કુરાન શબ્દોમાં કહીએ તે એમ કહી શકાય કે બહારના લડાઈટંટા માનવીની આ અણસમજનું પરિણામ તથા માંહોમાંહેની ખેંચતાણનું જ પ્રતિબિંબ છે.
આ અણસમજ પ્રત્યે મનુષ્યનું ધ્યાન ખેંચવાનું તથા એમને આ ખેંચતાણથી દૂર રહેવાને રસ્તો બતાવવાનું કામ ધર્મોએ વધારેમાં વધારે કર્યું છે. “ધર્મ” શબ્દ સંસ્કૃત “ઘ” ઉપરથી થયો છે. તેને અર્થ ધારણ કરવું અથવા સાંધી દેવું એવો છે, મનુષ્યને જુદા પડતાં રોકે તેનું નામ ધર્મ. સંસ્કૃત પુસ્તકોમાં ઠેર ઠેર ધર્મ શબ્દને આ જ અર્થ આપવામાં આવ્યો છે. મહાભારતમાં કહ્યું છેઃ
ધર્મ શબ્દ ધારણ કરવા સાથે સંબંધ ધરાવે છે, તેને અર્થ સંભાળી રાખવું કે સાંધી દેવું એવો છે. ધર્મથી સૌ સાવધ રહે છે તથા મળતા રહે છે. જે કાર્યથી સર્વ લે કે એકમેક સાથે સંકળાયેલા રહે તે જ સાચે ધર્મ છે. સર્વના ભલા માટે ધર્મને વર્ણવવામાં આવ્યો છે. જે કાર્યથી સર્વનું કલ્યાણ થાય તે જ મૂળમાં ધર્મ છે. કોઈ પણ પ્રાણીને દુઃખ કે નુકસાન ન પહોંચે તેવું ધર્મનું વર્ણન છે. જે કાર્યથી કેઈને પણ હાનિ ન પહોંચે તે જ સાચે ધર્મ છે. જે મનુષ્ય સૌનું ભલું ચાહે છે તથા સૌને કલ્યાણનાં કામમાં કાયા, વાચા ને મનસા મંડ્યો રહે છે, તે જાજલે! તે જ ધર્મને જાણવાવાળો છે.”
મજહબ” શબ્દને અર્થ છે “માર્ગ . જે રસ્તે સૌની ભલાઈને છે તે જ સાચે ધર્મ – મજહબ છે. કુરાનમાં કહ્યું છે:
સાચેસાચ તમે સો મનુષ્ય એક જ પ્રજાના છે, અને એક જ પ્રભુ તમારે માર્ગદર્શક છે, તેથી તેની પૂજા