________________
કંચન ને કામિની ભાગ લેવા સબજજ સાહેબ કે બીજા મહેમાન આવ્યા હશે, એમ સમજી સહુ તેમને ભેગી શેઠ પાસે લઈ ગયા.
ભોગી શેઠ પથારીમાં પડ્યા હતા. તેમને જોતાં જ પેલાઓએ કેઈ પીળું કાગળિયું કાઢયું ને તરત ખિસ્સામાંથી બેડીઓ કાઢી હાથે પહેરાવી દીધી. વડા સટ્ટહસ્થ કહ્યું: “મુંબઈની પેઢીઓમાં ઘાલમેલ કરી નાસી આવેલા ભેગી શેઠને પકડવાનું વારંટ છે. અમે છૂપી પિલીસનાં માણસો છીએ. એમણે પિલીસને બેટા કાગળો લખી ખૂબ બનાવી છે, લાંચરૂશ્વત આપી ભારે રમત રમ્યા છે.”
સહુ વીજળી પડે તેમ અવાચક બની ગયા.
બપોરે જ્યારે આ બધો વરઘોડે મુંબઈ જવા નીકળ્યો ત્યારે આખું ગામ એકઠું થઈ ગયું. બધા એકી અવાજે કહેવા લાગ્યાઃ
મારે બેટ મુંબઈગરે ! આખા ગામને બનાવવા નીકળ્યો હતો, તે પિતે બની ગયો. બિચારા વખતચંદ શેઠની દીકરી કૂવે પડતાં બચી !”
શણગાર શેઠાણુની હાથવેંતની જીભ મૂંગી થઈ ગઈ. એમણે ઘૂમટો ખેંચી મેં વાળ્યું. આજે એમની સેનાની મરઘી એક પણ દડું મૂક્યા વગર મરી ગઈ હતી.
સારા યા નરસા–પણ દિવસો વીતી ગયા.
એક દિવસ છાપામાં ભેગી શેઠ અને શણગાર શેઠાણીની સહીથી જાહેર ખબર દેખાણી. એમાં લખ્યું હતું,
ભાઈ કેશવ!
તું જ્યાં છે ત્યાંથી પાછો આવ. તારી મરજી મુજબ કરીશું. આપણી લાજ પ્રભુએ રાખી છે.