________________
૫૮
કંચન ને કામિની આ તમારે ઓઘડ તે ઓઘડ જ રહ્યો. એને ક્યારે અક્કલ આવશે? રૂપિયા લઈને સીધા ઘરભેગા થવું જોઈએ કે નહિ?” ભોગી શેઠે તપીને શણગાર શેઠાણીને કહ્યું
બન્યું, તમારે સ્વભાવ ક્યારે સુધરશે? જુઓ, મારા એકના એક ભાઈને કોડીને ન કરી નાખશે. કેશવાનું કહ્યું કે તરત તેનું ઉકેલવાનું છે. લેક સારાં સગાં શા માટે શોધતા હશે? મારે પણ મારા બાપનું ઘર ઉઘાડું રાખવું હશે ને!”
“પણ પૈસાના કામકાજમાં આવી લાપરવાઈ!” શેઠે અવાજ બદલ્યો.
સામાવાળો આપે ત્યારે લઈને આવે ને! બિચારાને બેસાડી રાખ્યો હશે ને કહ્યું હશે કે મુનીમજી મસાણ ગયા છે.”
તું તે તારા મનથી ઘેડા ગાંઠ!” ભોગી શેઠે વાત ટૂંકી કરી. એમને લાગ્યું કે બૈરાં માણસને બહુ માં શું લગાડવા!
હવે તે નાતીલાઓ આવવા શરૂ થયા હતા. જોતજોતામાં તો પરસાળ ચિકાર થઈ ગઈ. અને આંગણામાં પાગરણ પાથરવા માંડ્યાં, પણ ઓઘડ તે ન દેખાય તે ન જ દેખાયો.
વખતચંદ શેઠને રૂપિયે ને શ્રીફળ લઈને આવવાનો સમય થ. મેટરને ધમધમાટ પણ કાને પડ્યો. ભેગી શેઠે માન્યું, કે ઓઘડ, મોટરમાં સાથે આવતું હશે. મોટર નજરે પડી ને અચાનક શણગાર શેઠાણીએ હાંફળા-ફાંફળા આવીને કહ્યું:
“કેશ ઘરમાં નથી.”
હમણાં આવશે. એના મિત્રોને નિમંત્રણ આપવા ગયા હશે. હરખપદૂડ છે તમારે કેશ !” ભગી શેઠે જવાબ આપ્યો. પણ તેમનું ધ્યાન ઓઘડ તરફ હતું ને ઓઘડ ખરેખર મોટરમાંથી ઊતર્યો. તેણે આગળ આવીને ભાગી શેઠને કાનમાં કહ્યું :