________________
પ૬
કંચન ને કામિની પાસે તે કરિયાણું હતું, કરિયાવર નહિ. વારુ, વારુ, કેશવલાલ, મારી વાત જવા દઉં તે કંઈ ખોટું પણ થયું નથી. ધીકતી પેઢીના ધણી બનશો. જમ અને જમાઈએ બે મળ્યા વગર ફદિયું છોડે એવો વખતચંદ નથી.” ડામર શેઠે પોતાનું હૈયું ખોલ્યું.
મારે કરિયાણું જોઈએ છે.'
“તમારી વાત સાચી છે, પણ છેડે ફેર છે. આજને કઈ ભણેલે જુવાનિયો એકલું કરિયાણું માગતું નથી. કરિયાવર માટે તે એ મરી પડતો હોય છે. કારણ કે આજનું ભણતર માણસને હરામનું ખાવાનું શીખવે છે.”
હું હરામ હાડકાંને નથી; મા-બાપથી દબાયેલ છું–નહિ તે મારું પાણી બતાવી દેત !'
પાણીની વાત તે પુરાણું જમાના સાથે ગઈ,' ડામર શેઠે જરા હૈયાની વરાળ ખાલી કરી ને જવાની રજા માગી: “કેશવલાલ, હું હવે જઈશ.'
ક્યાં જશે?”
પડખેને ગામમાં એક મુરતિયે છે. કમળા અને એની મા ત્યાં ગયાં છે. સગામાં સગા જેવું છે. વાત નકકી થયા જેવી છે. આ હું જાઉં એટલે પતી જશે. આ છૂટછાટના જમાનામાં દીકરીઓને બહુ મોટી થવા દેવામાં ભારે દહેશત છે.”
પણ હું તૈયાર છું, ડામરકાકા !”
“તમે બાળક છે. તમારાં બા–બાપાના હાથમાં તમારી લગામ છે!”
પરણવાનું મારે છે કે મારાં બા-બાપાને!”
અત્યારે તે એમને પરણવાનું લાગે છે. મુંબઈમાં ગેટ કરીને આવ્યા છે, તે એનું ઠેકાણું વખતચંદ શેઠ વગર કેણુ પાડે તેમ છે !